Vinchiya, તા.09
ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે. જેમાં મંત્રીશ્રી તા.૦૯મેના સવારે ૦૯.૦૦ વાગ્યે વિંછીયા તાલુકાના મોટી લાખાવડ ખાતે નવીન બ્રિજનું લોકાર્પણ કરશે. ૧૧:૦૦ વાગ્યે અમરાપુર ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી તથા નાયબ બાગાયત નિયામક સાથે બેઠક કરશે. મંત્રીશ્રી તા.૧૦ મેના સવારે ૧૦:૩૦ કલાકે જસદણ તાલુકાના કાનપર ખાતે મોટા દડવાથી કાનપુર ખાતેના સ્ટેટ હાઇવેના નવીન રોડનું ખાતમુહૂર્ત કરશે.