આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં પીએસએલવી-સી૬૧ના લોન્ચિંગ પ્રસંગે ઈસરોના પ્રમુખ વી નારાયણને કહ્યું કે, ત્રીજા તબક્કાના સંચાલન સમયે ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે મિશન અધુરું રહ્યું હતું. ઈસરોનું આ ૧૦૧મું મિશન હતું. સેટેલાઈટ લોન્ચનો પહેલો અને બીજો તબક્કો સામાન્ય રહ્યો, પરંતુ ત્રીજો તબક્કો પૂરો થઈ શક્યો નહીં, જેના કારણે સેટેલાઈટને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરી શકાયો નહીં. અમે હવે ડેટા વિશ્લેષણ કરીશું અને પછી મિશન પર પાછા ફરીશું.આ મિશન હેઠળ ઈઓએ-૦૯ (અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-૦૯)ને પૃથ્વીની સૂર્ય સમકાલિક કક્ષામાં સ્થાપિત કરવાનો હતો. આ સેટેલાઈટનો આશય રિમોટ સેન્સિંગ ડેટા પૂરો પાડવાનો હતો. તેનાથી દેશની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓ મજબૂત થવાની હતી. ઈઓએસ-૦૯ને વિશેષરૂપે એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન, ઘૂસણખોરી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓની ભાળ મેળવવા માટે ડિઝાઈન કરાયો હતો.
Trending
- Pakistan ની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં
- 19 ઓક્ટોબર નું પંચાંગ
- 19 ઓક્ટોબર નું રાશિફળ
- Kali Chaudash પૂજા કરવાથી જીવનમાં આવતા વિઘ્નો થશે દૂર
- માંસાહાર એટલે સર્વનાશાહાર, શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર
- Dhanteras દિવાળીના તહેવારની શરૂઆત દર્શાવે છે-પાંચ દિવસનો ભવ્ય તહેવાર
- તંત્રી લેખ…સાયબર છેતરપિંડી હજુ પણ નિયંત્રણમાં નથી
- Mohammed Shami એ બતાવ્યો અરિસો, 7 વિકેટ ઝડપી ભારતીય ટીમમાં વાપસીના સંકેત આપ્યા