આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં પીએસએલવી-સી૬૧ના લોન્ચિંગ પ્રસંગે ઈસરોના પ્રમુખ વી નારાયણને કહ્યું કે, ત્રીજા તબક્કાના સંચાલન સમયે ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે મિશન અધુરું રહ્યું હતું. ઈસરોનું આ ૧૦૧મું મિશન હતું. સેટેલાઈટ લોન્ચનો પહેલો અને બીજો તબક્કો સામાન્ય રહ્યો, પરંતુ ત્રીજો તબક્કો પૂરો થઈ શક્યો નહીં, જેના કારણે સેટેલાઈટને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરી શકાયો નહીં. અમે હવે ડેટા વિશ્લેષણ કરીશું અને પછી મિશન પર પાછા ફરીશું.આ મિશન હેઠળ ઈઓએ-૦૯ (અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-૦૯)ને પૃથ્વીની સૂર્ય સમકાલિક કક્ષામાં સ્થાપિત કરવાનો હતો. આ સેટેલાઈટનો આશય રિમોટ સેન્સિંગ ડેટા પૂરો પાડવાનો હતો. તેનાથી દેશની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓ મજબૂત થવાની હતી. ઈઓએસ-૦૯ને વિશેષરૂપે એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન, ઘૂસણખોરી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓની ભાળ મેળવવા માટે ડિઝાઈન કરાયો હતો.
Trending
- Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
- Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
- Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
- Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
- PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
- Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
- Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
- Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા

