Junagadh,તા.29
જુનાગઢ ગીરનાર અંબાજી મંદિરની ગાદી પર મહંતની નિમણુંક બાબતે સાધુ સંતો મહંતો દિન પ્રતિદિન યેનકેન પ્રકારના નિવેદનો ફરિયાદ અને આક્ષેપો છેડતા આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.
તો બીજી તરફ મહંત મહેશગીરીએ જુનાગઢના પૂર્વ મેયર ગીરીશ કોટેચા સામે નારાજગી વ્યકત કરી ભવનાથ પચાવં પાડવાની કોશીષનો આક્ષેપ મૂકતા ખળભળાટ મચી ગયો છે.
પત્રકાર પરિષદ સંબોધતા ભુતનાથ મંદિરના મહંત મહેશગીરીએ જુનાગઢના પૂર્વ ડે.મેયર ગીરીશ કોટેચાનું નામ લઈને લાલચોળ થઈ જતા જણાવ્યું હતું કે તું અમને સાધુઓને સલાહ દેવા વાળો કોણ? જુનાગઢનો વિકાસ જીરોને ગીરીયો હીરો આવાને પાર્ટી મુખતા વાળાને ગમે ત્યાં આગળ કરી દે છે. તું અમને શુ સમજે છે. તું છે શું? તું કોઈ અમારો શંકરાચાર્ય છો તે ધર્મનો ઠેકો લીધો છે. આ અમારા સાધુનો મામલો છે. રાજકારણ તમે દુર રાખજો. તારે ભવનાથ મંદિર પચાવી પાડવું હતું. હડપ કરી લેવું હતું તે ધાર્મિક જગ્યા પચાવી પાડવા સાર્વજનીક ટ્રસ્ટ બનાવ્યું હતું.
જેમાં ભવનાથના શૈલજાદેવી તેના અધ્યક્ષ છે. જેના કાગળો બતાવીને કહ્યું હતું કે શાંતી રાખજો કરોડોની સંપતી ધરાવતા શૈલજા દેવી પણ ભવનાથ મંદિરમાં ઘુસી આવા સાર્વજનિક ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા આવા કાગળો મહેશગીરીએ પત્રકારો સમક્ષ રજુ કર્યા હતા. ગીશ કોટેચાને ભવનાથ મંદિર હડપી જવું હતું. તેનું ટ્રસ્ટ બનાવ્યું હતું તેની કોપી રજુ કરી હતી. શાક પુરી વહેંચીને બંગલા ન બની શકે. હું જુનાગઢમાં ઘુસ્યો નથી હું ગીરનાર અને ધર્મની જ વાત કરીશ.
જો જુનાગઢમાં પ્રવેશ (ઘુસ્યો નથી) કરીશ તો આવા પાપની સફાઈ જઈ જશે. સફાઈ કરવામાં ધૂળ કોના ઘરમાં ઉડે બહુ દોઢ ડાયા ન થવાય ફરજ પડશે તો 18 વર્ષમાં કેટલા કેટલા કર્તુતો છે તેને નહીં છોડું તું કોઈ અમારો શંકરાચાર્ય છો? તું છે શું? તે ઠેકો લીધો છે? મહાશિવરાત્રીના મેળામાં એક 14થી 16 વર્ષની દિકરીને બાથરૂમ જવું હતું તે દિકરી લાખોની મેદનીમાં કયાય બાથરૂમ ન મળતા અંતે તેના કપડામાં જ લેંઘામાં જ બાથરૂમ કરવાની ફરજ પડી હતી.
અમારા ડોળીવાળા સહિતનાઓએ આડસ ઉભી કરીને દિકરીએ બીજા કપડા બદલ્યા હતા. તને કોણે વડીલ બનાવ્યો તું અમારો શંકરાચાર્ય છો તારા દુનિયાના કૌભાંડો છે. ભવનાથ મંદિર પરંપરાનું છે. હડપવાની લાલશાના કાગળો મારી પાસે છે. શાક પુરી વહેંચી બંગલા ન બંધાય દોઢડાયા ન થવા અને હવે સલાહ ન દેવાનું રોષ સાથે જણાવી હવે ધર્મની વચ્ચે આવશે.
તો હું જુનાગઢમાં પ્રવેશ કરી તમામ કૌભાંડો મારી પાસે છે તેને નહીં છોડું તેવી ભારે રોષ સાથે જણાવી મારૂ મગજ ફેરવી નાખ્યાનું જણાવ્યું હતું. તેને હીરો નથી બનાવવો તેથી ગુજરાતીમાં સત્યાનાશ કર્યુ છે. સાધુઓને શાંત રહેવાનું કહી તારે ભવનાથ મંદિર હડપી જવું હતું. કૌભાંડનું લીસ્ટ ખોલીશ તો પહેલા તારૂ નામ આવશે.
લેટર મહંત હરિગીરીએ તંત્રમાં રજુ કર્યો હતો.
ભવનાથ અંબાજી મંદિરના વિવાદના ગઈકાલે ફરી ભૂતનાથના મહંત મહેશગીરી પુરાવાઓ સાથે મેદાનમાં આવ્યા હતા. અખાડાના પત્ર અંગે હરીગીરી જે બચાવ કરી રહ્યા છે. તેમાં જાતે જ આ પત્ર સરકાર (કલેકટર)માં રજુ કર્યાનો ઘટસ્ફોટ મહેશગીરીએ કર્યો છે. ખુદ હરીગીરીએ જ પત્ર કલેકટરમાં આપેલો છે તો એફએસએલની પણ જરૂરત નહીં પડે પુરાવા જ તેમણે જ રજુ કર્યા છે. ભવનાથના દાવેદારોએ કલેકટર પાસેથી સાધનિક કાગળોમાં આ પત્ર નીકળ્યો છે.
ભવનાથના સાધુઓના ડખ્ખામાં નવા નવા ધડાકાઓ થઈ રહ્યા છે. ભાજપ પાર્ટીના ફંડમાં 5 કરોડ બે કલેકટરોને 50-50 લાખ સાધુઓને રૂા.5-15 લાખથી 50 લાખ આપ્યાનો ઉલ્લેખ પત્રમાં છે તે અખાડાનો પત્ર મહેશગીરીએ જાહેર કરતા સાધુઓ અને સરકારમાં હડકંપ મચી જવા પામ્યો છે.
વધુ એક ફરિયાદ
જુનાગઢ ગીરનાર અંબાજી મંદિરના મહંતની નિમણુંકનો વિવાદ વધુને વધુ ઘેરો બનતો જાય છે. એક એક કર્તુતો હરીગીરીના બહાર આવી રહ્યા છે. અંબાજી મંદિરના નાના પીર બાવાએ ભવનાથના મહંત હરીગીરીએ પ્રત્યક્ષ પરોક્ષ રીતે ધમકી આપતા હોવાની ફરીયાદ લેખીત કરી છે. આ લોકોના ડરના કારણે અત્યાર સુધીમાં ફરીયાદ કરી ન હતી હવે માતાજીની ઉપાસના કરી આદેશ મેળવી ફરીયાદ કરી છે.
તા.19-11ના મહંત તનસુખગીરીના દેહ વિલય બાદ મહંતની નિમણુંકને લ,ને વિવાદ ચાલી રહ્યો છે આ અંગે અગાઉ તનસુખગીરીના કૌટુંબીક ભાણેજે એ ડીવીઝન પોલીસમાં લેખીત ફરીયાદ કરી હતી. ત્યારે આગલી રાત્રીના અંબાજી મંદિરના ટ્રસ્ટી અને નાના પીર બાવા મહંત હિમાન્સુ ગુરૂ ગણપતગીરી બ્રહ્મલીન મહંત તનસુખગીરીની સંસ્થાઓ મિલકત દેવસ્થાન પર અન અધિકૃત કબજો કરવા પેરવી કરી રહ્યા છે.
તા.20-11ના ભીડભંજન મહાદેવ મંદિરમાં પ્રવેશ કરી ધમકી આપી ગેરકાયદેસર પ્રેમગીરીની ચાદરવિધી કરી નાખી હતી. હરીગીરી દ્વારા પ્રત્યક્ષ પરોક્ષ ધમકી મળી રહી છે. હિમાંશુગીરીએ બીકના કારણે ફરીયાદ કરી ન હતી.
બે નંબરનો વહીવટ
ભવનાથ મહંત હરીગીરીએ અખાડાની આવકના હીસાબ કીતાબની બેલેન્સ સીટ રજુ કર્યાનો દાવો કર્યો હતો કે અકાડામાં 8 કરોડ જેવી રકમ જે આવી નથી તો કેવી રીતે નાણા આપ્યા હોય? આ અંગે મહેશગીરીએ સ્પષ્ટતા કરી છે કે બે નંબરના વ્યવહાર ઓડીટમાં ઉલ્લેખ હોયૅ એક ઉદાહરણ સાથે જણાવ્યું હતું કે જમીનના જંત્રી મુજબના ભાવ અલગ હોય અને બજાર કિંમત અલગ હોય છે તો તેને એક નંબર અને બે નંબર ગણાય છે. એક નંબરનો વ્યવહાર બેલેન્સ સીટમાં હોય બે નંબરનો વ્યવહાર સીટમાં ન હોય તે તો સામાન્ય માણસને પણ ખબર હોય છે. એટલે મહંત હરીગીરી લોકોને મુર્ખ બનાવવાનું બંધ કરે.
હરીગીરી સામે પાંચની ફરીયાદ
ભવનાથના મહંત હરીગીરી સામે રાજુગીરી કૌશીકગીરી અમરગીરી પોતે મહેગીરી અન્ય સંતોએ ઉપરાંત ધારાસભ્યએ અનેકવાર તંત્રને ફરીયાદ કરી છે. છતા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેની ઉપરથી સાબીત થાય છે કે હરીગીરી કેટલા સંડોવાયેલા હશે પાંચ પાંચની ફરીયાદ છતા તેને છાવરવામાં આવે આ ખુબ ગંભીર બાબત મહેશગીરીએ જણાવ્યું છે.