Maharashtra,તા.15
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે પીએમ મોદી ગુરુવારે મહારાષ્ટ્ર પ્રવાસે હતા.
આ દરમિયાન પીએમ મોદીએ રાયગઢ જિલ્લાના પનવેલ સ્થિત ઈસ્કોન મંદિરમાં દર્શન કર્યા હતા. તેમણે ઈસ્કોનના અનુયાયીઓ સાથે મળીને કાંસીજોડાં વગાડ્યા હતા. જેના કારણે ત્યાં હાજર લોકો પણ ભક્તિમાં લીન થઈ ગયા હતા.