Maharashtra તા.18
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં નિવેદનોથી ગરમી આવી છે. ખાસ કરીને મહાયુતિમાં આંતરિક ટકકર બાદ હવે રાજયની 158 બેઠકોમાં ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ એકનાથ શિંદેની શિવસેના વિ. ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને અજીત પવારની એનસીપી વિરુદ્ધ શરદ પવારની એનસીપીની ટકકર છે છતાં પણ મહાયુતિની 83 બેઠકોની ચિંતા તેને થઈ રહી છે.
જયાં એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી તથા ઉદ્ધવ ઠાકરેની શિવસેના કે શરદ પવારની એનસીપી સાથે તેની ટકકર છે. આ 83 બેઠકો નકકી કરશે કે અસલી શિવસેના અને અસલી અજીત પવાર કોણ છે.
લોકસભા ચૂંટણીમાં તો મહાયુતિને મહાવિકાસ અઘાડીએ જબરી ટકકર આપી હતી. પરંતુ વિધાનસભામાં ભાજપનો હાથ સતત ઉપર રહ્યો છે અને તે સૌથી વધુ બેઠકો લડશે. ભાજપે આ 83 બેઠકો પર પોતાના ટેકેદારોને સાથીપક્ષોના ઉમેદવારના ટેકામાં કામ કરવા જણાવ્યુ છે પરંતુ અજીત પવારની એનસીપીના ઉમેદવાર ઉભા છે.
ત્યાં ભાજપની કાર્યકર્તાઓ અને નેતાઓ નિષ્ક્રીય બની ગયા છે અથવા તો અન્ય મતવિસ્તાર કે જયાં ભાજપ ચુંટણી લડી રહ્યું હોય ત્યાં તેઓ પ્રચારમાં લાગી ગયા છે તો શિવસેનામાં જયાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની શિવસેના સામસામે છે ત્યાં અગાઉ સંયુક્ત શિવસેનાના ટેકેદારો કોની સાથે જવુ તે અંગે દ્વીધામાં છે. 46 બેઠકો એવી છે કે જયાં બંને શિવસેનાની ટકકર છે. આમ વોટ ટ્રાન્સફર એ મહાયુતિ માટે સૌથી મોટો પ્રશ્ર્ન બની ગયો છે.