Mumbai,તા.17
મલાઈકા અરોરાએ પ્રેમસંબંધો પર કરેલી એક સોશિયલ મીડિયા પોસ્ટને અર્જૂન કપૂરે લાઈક કર્યા બાદ તેમના સંબંધો ફરી ચર્ચામાં છે. મલાઈકાએ હું દિલોદિમાગથી પ્રેમ નથી કરતો પણ આત્માને ચાહું છું એ મતલબની એક કાવ્યપંક્તિ પોસ્ટ કરી હતી. તેને અર્જૂન કપૂરે લાઈક કરી હતી.
બંનેના આ સોશિયલ મીડિયા ઈન્ટરેક્શન પરથી ચાહકો માની રહ્યા છે કે તેઓ ફરી સાથે આવ્યાં હોય તેવું બની શકે છે. જોકે, કેટલાક ચાહકોના મતે બોલીવૂડના અનેક કપલ બ્રેક અપ પછી પણ સારાં મિત્રો હોય તેવા દાખલા પમ છે. આથી અર્જુન કપૂર અને મલાઈકા ફરી ડેટ કરવા લાગ્યાં છે તેમ કહેવું વહેલું ગણાશે.
બંને છ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. બાદમાં તેમના વચ્ચે બ્રેક અપ થઈ ગયું હતું. ગયાં વર્ષે એક ઈવેન્ટમાં અર્જુન કપૂરે જાહેરમાં કહ્યું હતું કે હવે હુું સિંગલ છું. જોકે, મલાઈકાએ એ બ્રેક અપ વિશે કોઈ માહિતી આપી ન હતી.