Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સ્ત્રીઓએ પોતાની લાચારી ફગાવી દેવી પડશે: Kriti Sanon

    September 25, 2025

    Bollywood Superstar સલમાન ખાન અને આમિર ખાન ની દોસ્તી ખૂબ જ ગાઢ અને જૂની છે

    September 25, 2025

    Sameer Wankhede એ શાહરૂખ ખાન વિરૂદ્ધ દિલ્હી HCમાં કર્યો માનહાનિનો કેસ

    September 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સ્ત્રીઓએ પોતાની લાચારી ફગાવી દેવી પડશે: Kriti Sanon
    • Bollywood Superstar સલમાન ખાન અને આમિર ખાન ની દોસ્તી ખૂબ જ ગાઢ અને જૂની છે
    • Sameer Wankhede એ શાહરૂખ ખાન વિરૂદ્ધ દિલ્હી HCમાં કર્યો માનહાનિનો કેસ
    • દેશભરમાં SIR લાગુ કરતા પહેલા ચુંટણીપંચ રાજકીય પક્ષોને મળશે
    • 1962માં ચીન સામેના યુદ્ધમાં હવાઈદળના ઉપયોગની મંજુરી ન આપવી સૌથી મોટી ભુલ: CDS
    • Junagadh નાં ચોકલી ગામે યુવાન પર જીવલેણ હુમલો
    • Bhavnagar: વ્યાજખોર નિવૃત્ત અધિકારીએ 7 લાખના 23 લાખની પઠાણી ઉઘરાણીની ફરિયાદ
    • Bhavnagar ફિલ્મી ઢબે બાઈક પર કાર ચડાવી યુવાનની હત્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Malegaon blast માં સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિત સાત આરોપીઓ નિર્દોષ
    અન્ય રાજ્યો

    Malegaon blast માં સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિત સાત આરોપીઓ નિર્દોષ

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.31
    2008ના માલેગાવ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષ પછી આવેલા ચુકાદામાં ખાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) અદાલતે ભાજપના પુર્વ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર તથા લશ્કરના પુર્વ લેફ.કર્નલ પ્રસાદ પુરોહીત સહિત તમામ સાત આરોપીઓનો નિર્દોષ છુટકારો કર્યો છે.

    નાસિકના માલેગાવમાં 29 સપ્ટેમ્બર 2008ના થયેલા બોમ્બ વિસ્ફોટમાં છ લોકોના મોત થયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા. જેમાં આજે ખાસ એનઆઈએ કોર્ટે આપેલા ચુકાદામાં આરોપીઓ સામે કોઈપણ અપરાધ સાબીત થતો ન હોવાનું જણાવ્યું હતું. આ બોમ્બ ધડાકાના હિન્દુ અને ભગવા આતંકવાદ તરીકે બદનામ કરાયો હતો અને તેમાં સાધ્વી પ્રજ્ઞા સહિતના આરોપીઓ સામે યુએપીએ સહિતની કલમો લગાવી હતી.

    જેમાં આજે ખાસ એનઆઈએ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ મોટર સાયકલના ચેસીઝ નંબર જે ભૂંસી નંખાયા હતા પરંતુ તે મોટર સાયકલ પ્રજ્ઞા ઠાકુરનું હોવાનું કોઈ વિશ્વાસપાત્ર પુરાવા નથી અને અદાલતે એ પણ નોંધ્યું કે પ્રજ્ઞા ઠાકુરે આ બ્લાસ્ટના બે વર્ષ પુર્વે જ સંન્યાસ લઈ લીધો હતો.

    તેઓ સામાજીક રીતે અલગ થઈ ગયા હતા. ખાસ કોર્ટના ન્યાયમૂર્તિએ એ પણ જણાવ્યું કે જે સ્થળે બોમ્બ મુકાયો હતો તે ત્યાં મળેલ મોટરસાયકલ મારફત જ મુકાયો હતો તે સાબીત થયુ નથી. ઉપરાંત તપાસના સમયે વિસ્ફોટકના સ્થળનું યોગ્ય બેરીકેટેડ કરવામાં આવ્યું ન હતું જેના કારણે પુરાવાઓને યોગ્ય રીતે મેળવી શકાયા ન હતા.

    ઉપરાંત ઈજાગ્રસ્તોની સંખ્યા અંગે પણ હાઈકોર્ટે પ્રશ્ન ઉઠાવ્યા હતા. અદાલતે એ નોંધ્યું હતું કે લેફ. કર્નલ પ્રસાદ પુરોહિત એ આરડીએકસ તેમના નિવાસે રાખ્યો હતો તે કાશ્મીરથી મેળવાયો હતો અને તેમના નિવાસે જ તેમાંથી વિસ્ફોટક બનાવાયા હતા તે પણ સાબીત થતુ નથી.

    અદાલતે આ સમયે ભગવા આતંકવાદની થિયરીને ફગાવતા કહ્યું કે વાસ્તવમાં આતંકને કોઈ ધર્મ હોતો નથી અને તેથી જ તેને ભગવા આતંકવાદ તરીકે પણ સ્વીકારી શકાય નહી. સાધ્વી પ્રજ્ઞા સહિતના તમામ આરોપીઓ હાલ જામીન પર હતા અને તેઓ આજે અદાલતમા હાજર હતા જેમાં તમામનો નિર્દોષ છુટકારો થતા અદાલતમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

    શું થયુ હતું માલેગાવ બ્લાસ્ટમાં
    અભિનવ ભારત સંગઠન મારફત હિન્દુ રાજયની સ્થાપના માટે આતંકી કૃત્ય કરાયાનો આરોપ હતો
    અદાલતે આજે જે આરોપીઓને દોષમુક્ત કર્યા છે તેમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત ઉપરાંત મેજર રમેશ ઉપાધ્યાય અજય રાનીકર, સમીર કુલકર્ણી, સુધાકર ચતુર્વેદી અને સુધાકર દ્વીવેદીનો સમાવેશ થાય છે.

    અગાઉ યુપીએ સરકારના સમયમાં નોંધાયેલા કેસમાં અભિનવ ભારત સંગઠન મારફત એક મોટુ ષડયંત્ર રચવામાં આવ્યુ હોવાનું જણાવીને કેન્દ્રીય હિન્દુ સરકાર રચવા માટે માલેગાવમાં મુસ્લીમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં એક બોમ્બ વિસ્ફોટ કરાયો હોવાનું બહાર આવ્યું હતું.

    તેની તપાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સુપ્રત કરાઈ હતી જેમાં કર્નલ પુરોહિતે કાશ્મીરમાંથી આરડીએકસ મેળવીને પ્રજ્ઞા ઠાકુર અને અન્યની મદદથી મોટરસાયકલ પર બોમ્બ ગોઠવીને તેનો વિસ્ફોટ થાય તેવી વ્યવસ્થા કરી હતી.

    આ સમગ્ર કેસ 18 વર્ષ ચાલ્યો અને પાંચ ન્યાયમૂર્તિઓ બદલાયા હતા અને હાલના ન્યાયમૂર્તિ એ.કે.લાહોટી પોતાનો ચુકાદો આપી શકે તે માટે તેમની નિવૃતિ વયમર્યાદા ખાસ કેસમાં વધારાઈ હતી. આજે અદાલતે 4528 પાનાનો પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કુલ 323 સાક્ષીઓને તપાસાયા હતા અને 37 તેમાં હોસ્ટાઈલ જાહેર થયા હતા.

    Colonel Purohit Malegaon blast Sadhvi Pragya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    દેશભરમાં SIR લાગુ કરતા પહેલા ચુંટણીપંચ રાજકીય પક્ષોને મળશે

    September 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    Escalator બંધ થવાથી લઈને આ બાબતો પર ટ્રમ્પનો ફૂટ્યો ગુસ્સો, તપાસના આપ્યા આદેશ

    September 25, 2025
    ખેલ જગત

    IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

    September 25, 2025
    ગુજરાત

    Gujarat માં સતત ચોથા વર્ષે સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ

    September 25, 2025
    રાષ્ટ્રીય

    French Company Airbus પણ ભારતમાં આવશે : દેશમાં વિમાની ઉત્પાદનનું આયોજન

    September 25, 2025
    રાષ્ટ્રીય

    નિઃસંતાન વિધવાનું મૃત્યુ થાય તો તેની સંપતિ સાસરિયાને મળે, પિયરિયાને નહી: Supreme Court

    September 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સ્ત્રીઓએ પોતાની લાચારી ફગાવી દેવી પડશે: Kriti Sanon

    September 25, 2025

    Bollywood Superstar સલમાન ખાન અને આમિર ખાન ની દોસ્તી ખૂબ જ ગાઢ અને જૂની છે

    September 25, 2025

    Sameer Wankhede એ શાહરૂખ ખાન વિરૂદ્ધ દિલ્હી HCમાં કર્યો માનહાનિનો કેસ

    September 25, 2025

    દેશભરમાં SIR લાગુ કરતા પહેલા ચુંટણીપંચ રાજકીય પક્ષોને મળશે

    September 25, 2025

    1962માં ચીન સામેના યુદ્ધમાં હવાઈદળના ઉપયોગની મંજુરી ન આપવી સૌથી મોટી ભુલ: CDS

    September 25, 2025

    Junagadh નાં ચોકલી ગામે યુવાન પર જીવલેણ હુમલો

    September 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સ્ત્રીઓએ પોતાની લાચારી ફગાવી દેવી પડશે: Kriti Sanon

    September 25, 2025

    Bollywood Superstar સલમાન ખાન અને આમિર ખાન ની દોસ્તી ખૂબ જ ગાઢ અને જૂની છે

    September 25, 2025

    Sameer Wankhede એ શાહરૂખ ખાન વિરૂદ્ધ દિલ્હી HCમાં કર્યો માનહાનિનો કેસ

    September 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.