વાડી માં ત્રણ દિવસ પહેલા દવા પી લેનાર સગીરાએ સારવારમા દમ તોડયો
Rajkot,તા.09
બાળ અને તરુણ અવસ્થામાં રમવા, ભણવા અને હસવા ખેલવાના દિવસોમાં જ્યારે કોઈ વહાલ સોયું અકાળે આંખો મીચી લે ત્યારે કરુણ પરિસ્થિતિ સર્જાય છે. સાયલાના ટીટોડા ગામે અનુબેન પ્રતાપભાઈ ધ્રાંગીયા ૧૪ નો પરિવાર તારીખ ૬/જૂન ના રોજ વાડીએ રસ પુરીનો લ્હાવો લઈ રહ્યા હતા ત્યારે અનુએ જમવાના બદલે ઝેરી દવા પી લીધી હતી અને થોડીવારમાં તબિયત બગડતા તેને પ્રથમ ચોટીલા બાદ રાજકોટ સારવારમાં લાવતા ગઈકાલે વહેલી સવારે તેનું મોત નિપજ્યું હતું. અનુ ધોરણ ૯ માં પાસ થઈને દસમામાં આવી હતી એક ભાઈ એક બહેનમાં નાની અનુ એ આ પગલું કેમ ભર્યું? તે પરિવારજનોની પણ સમજ બહાર રહ્યું છે.. આ બનાવથી પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હોય તેમ પોલીસે તપાસ હાથ ધરી છે