New Delhi,તા.૧૯
ભારતમાં ડિજિટલ ન્યૂઝ મીડિયા ક્ષેત્રને લઈને હાલમાં સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન મીડિયા ઈન્ડરસ્ટ્રી માટે રાહતના સમાચાર લઈને આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ અને ન્યૂઝ પબ્લિશર્સ, ખાસ કરીને ગૂગલ અને મોટી ટેક કંપનીઓએ એકાધિકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યી છે. તેમણે કહ્યું કે આ કંપનીઓની વ્યવસાયિક પદ્ધતિઓ ભારતીય ડિજિટલ ઈન્ડરસ્ટ્રીઝ માટે ખતરાની ઘંટડી છે અને તેને બચાવવા માટે કડક નિયમોની જરૂર છે.
મોટી ટેક કંપનીઓ જેમ કે ગૂગલ અને મેટા લાંબા સમયથી ડિજિટલ મીડિયા સેક્ટરમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ કંપનીઓ ન્યૂઝ પબ્લિશર્સ દ્વારા બનાવવામાં આવેલ કન્ટેન્ટમાંથી જંગી કમાણી કરે છે, પરંતુ બદલામાં તેમને યોગ્ય ચૂકવણી કરતી નથી. ભારતીય ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ જે ન્યૂઝરૂમમાં રોકાણ કરે છે અને પત્રકારત્વના સિદ્ધાંતોનું પાલન કરે છે તે આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ કંપનીઓનું “લઈ લો અથવા છોડી દો” વાળું વલણ આ પ્લેટફોર્મ્સ માટે સમસ્યા ઊભી કરી રહ્યું છે, કારણ કે કોઈપણ પ્રકારની પારદર્શક આવકનું શેયરિંગ અથવા વાતચીતનો કોઈ મોકો આપતી નથી.
છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં મોટી ટેક કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા, યુરોપ, બ્રિટન, કેનેડા અને અમેરિકા જેવા દેશોએ આ કંપનીઓ સામે પગલાં લીધા છે. ભારતમાં પણ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ આ કંપનીઓની પ્રથાઓની તપાસ શરૂ કરી દીધી છે, જો કે હજુ સુધી આ અંગે કોઈ વિગતવાર રિપોર્ટ આવ્યો નથી.
છેલ્લા ૧૮ મહિનામાં ડિજિટલ મીડિયાના રેગુલેશનના મુદ્દા પર ચર્ચા વધી ગઈ છે. આ પહેલા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીએ પણ મોટી ટેક્નોલોજી કંપનીઓ પર નજર રાખવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. હવે અશ્વિની વૈષ્ણવનું નિવેદન, જેમાં તેમણે આ કંપનીઓની બિનહિસાબી કામગીરીને ગંભીરતાથી લીધી છે, તે દર્શાવે છે કે સરકાર ડિજિટલ ન્યૂઝ મીડિયા સામેના જોખમોને સમજી રહી છે અને આ દિશામાં પગલાં ભરવાનું આયોજન કરી રહી છે.
અગ્રણી સમાચાર પ્રકાશનોએ હંમેશા ફેક અને અનવેરિફાઈડ સમાચારોની વધતી જતી સમસ્યાને ઉભી કરી છે, જે આ મોટી કંપનીઓના સર્ચ એન્જિન પર ઘણી વાર વધુ દેખાય છે. આ કંપનીઓના એલ્ગોરિધમને કારણે ઘણી વખત સનસનાટીભર્યા અને ભ્રામક સમાચાર વિશ્વસનીય પત્રકારત્વ કરતાં વધુ અગ્રણી બને છે, જે સમાજ અને લોકશાહી માટે જોખમી છે. મંત્રી વૈષ્ણવે યોગ્ય સમયે આ મુદ્દો ઉઠાવ્યો છે.
તેના સિવાય એઆઇ ટૂલ્સ જેવા ચેટ જીપીટી અને જેમિનીનો ઉભાર મીડિયા લેન્ડસ્કેપમાં એક નવો વળાંક લાવ્યો છે. આ પ્લેટફોર્મ ભારતની વાસ્તવિકતાને પશ્ચિમી પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે, જે ભારતીય સામાજિક અને રાજકીય સંદર્ભને વિકૃત કરી શકે છે. આ પ્રકારના એઆઇ જનરેટેડ કન્ટેન્ટનો વધતો પ્રભાવ ભારતમાં સ્થાનિક પરિપ્રેક્ષ્ય અને મીડિયાની સ્વાયત્તતાને નુકસાન પહોંચાડી શકે છે.
હવે, ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ સરકાર નિર્ણાયક પગલું ભરે તેવી આશા રાખે છે. સરકારે એક માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ જે સુનિશ્ચિત કરે છે કે સમાચાર પ્રકાશકોને તેમના યોગદાન માટે યોગ્ય ચૂકવણી કરવામાં આવે છે અને તેમને એઆઈ અને અન્ય તકનીકી ફેરફારો સાથે વ્યવહાર કરવા માટે સશક્ત બનાવે છે. આ સમય ભારત સરકાર માટે એક મહત્વપૂર્ણ તક છે, કારણ કે હવે તેમણે તેની નીતિઓને ડિજિટલ મીડિયાની ઝડપથી બદલાતી દુનિયા સાથે ગોઠવવાની છે. પત્રકારત્વના સિદ્ધાંતો અને નવીનતાને સંતુલિત કરવા માટે એઆઇ સાધનોના ઉપયોગ પર કડત નજીકથી દેખરેખ રાખવાની જરૂર છે.