Morbi,તા.08
મોરબીના ઉંચી માંડલ નજીક અંબાણી પેપરમિલમાં પાણીના ટાંકામાં પડી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યુ હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના અંબાણી પેપરમિલના લેબર કવાર્ટરમાં રહેતા રામપ્રવેશ મોહનભાઈ ઠાકુર (ઉ.૧૯) એ ગત તા.૬ ના રાત્રીના લેબર કવાર્ટરમાં આવેલ પાણીના ટાંકામાં કોઈ કારણોસર પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.