Morbi,તા.31
શ્રી મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા રવિવારે બગથળા ગામ મુકામે ૨૭ મો સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં પાંચ નવદંપતી પ્રભુતામાં પગલા માંડશે
શ્રી મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા તા. ૦૨ ફેબ્રુઆરીના રોજ બગથળા ગામ ખાતે ૨૭ મો સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં સમારંભ અધ્યક્ષ તરીકે ગોવિંદભાઈ વરમોરા, બગથળા શ્રી નકલંક મંદિરના મહંત દામજી ભગત, માજી સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, ઉમિયા મંદિર સીદસર પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટી બાબુભાઈ ઘોડાસરા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીવચન પાઠવશે સમૂહ લગ્નમાં જોડાનાર તમામ દીકરીઓને કરિયાવરની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે
તે ઉપરાંત ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ વસંત પંચમીના દિવસે રવિવારન રોજ યોજાશે જેમાં ૨૭ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે આ સમૂહ લગ્ન ઉત્સવમાં પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ ,દાતાઓ, રાજકીય મહાનુભાવો, સામાજિક આગેવાનો તથા સ્થિત ઉપસ્થિત રહેશે અને પ્રભુતામાં પગલા પાડનાર નવયુગલ દંપતિઓને આશીર્વાદ તથા શુભેચ્છાઓ પાઠવશે આ પ્રસંગે સ્નેહમિલન, વિદ્યાર્થી સત્કાર સમારોહ, દાતાઓના સન્માન અને ભોજન સમારંભ યોજાશે