ભાવનગર શહેરમાં આજે મંગળવારે કેટલાક વિસ્તારમાં પીજીવીસીએલએ વીજ કાપ રાખ્યો હતો તેથી તખ્તેશ્વર ફિલ્ટર આધારિત વિસ્તારમાં સવારના ૧૦.૧પ કલાક સુધી પાણી અપાયુ ન હતું. ઉનાળાની ગરમીમાં વીજ કાપ અને પાણી કાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. વીજ તંત્રએ લાઈટ આપ્યા બાદ અન્ય વિસ્તારને મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે રાબેતા મુજબ પાણી આપ્યુ હતું. આવતીકાલે તા. ૯ એપ્રિલ-૨૦૨૫ ને બુધવારના રોજ પીજીવીસીએલએ કેટલાક વિસ્તારમાં વીજ કાપ રાખ્યો છે, જેના કારણે મહિલા કોલેજ ડાયમંડ ઈ.એસ.આર. આધારિત આનંદનગર, હુડકો, નવા ત્રણ માળિયા, જુના ત્રણ માળિયા, સ્લમ બોર્ડ, તિલકનગર, માણેકવાડી, ખોડીયાર સોસાયટી, ડોન ચોક, હરિયાળા પ્લોટ વગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે, જો કે, લાઈટ વહેલી આવી જશે તો જે વિસ્તારનો વારો હશે તે વિસ્તારને પાણી આપવામાં આવશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું.
Trending
- સિંહ Junagadh શહેરમાં પ્રવેશ્યા: કસ્તુરબા સોસાયટીમાં બે પશુઓને આરોગી ગયા
- Veraval, Talala and Sutrapada માં વિજચોરી અંગે વ્યાપક દરોડા
- Ribada ના અનિરૂધ્ધસિંહને ‘સજા માફી’ સામે હાઈકોર્ટના આકરા સવાલ
- Dhoraji: બસ સળગાવવાના બનાવમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો
- Una સૈયદ રાજપરા ગામના જીવલેણ હુમલાના બનાવમાં બે આરોપી પકડાયા
- Bhavnagar નજીક મહાકાય પવનચકકી ધરાશાયી કરાઇ
- Jasdan ના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂત એ આપઘાત કરી લીધો
- Gondal ઉમવાડા પાસે દર્શનાર્થે જતા પરિવારની કાર નાળામાં ખાબકી