અશ્લીલ વાણી-વિલાસ ઉપરાંત દિવ્યંગો વિષે પણ અણછાજતી ટિપ્પણી મામલે તપાસ કરાઈ
Mumbai, તા.૧૩
Youtube શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ દરમિયાન રણવીર અલાહાબાદિયા અને ટોળકીના અશ્લીલ વાણી-વિલાસ મામલે Mumbai Policeએ તપાસ શરૂ કરી દીધી છે. બુધવારે Police ઈન્ફ્લુએન્સર Apurba માખીજા અને રણવીરના મેનેજર સહિત ચાર વ્યક્તિનાં નિવેદન નોંધ્યા હતા. રણવીરનું નિવેદન આગામી દિવસોમાં નોંધવામાં આવશે. રિયાલિટી શોમાં Apurvaએ પણ ભાગ લીધો હતો. મંગળવારે મહારાષ્ટ્રના Cyber વિભાગે શોને વિવાદાસ્પદ બનાવનારા ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. Maharashtra BJPના ઉત્તર ભારતીય મોરચાના પદાધિકારી નિલોત્પલ મૃણાલ પાંડેય દ્વારા સોમવારે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે, રિયાલિટી શોમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ થયો હતો. તેઓ પોતે દિવ્યાંગ છે અને તેથી આ મામલે શોના પાર્ટિસિપન્ટ્સ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. રિયાલિટી શો દરમિયાન રણવીર તથા અન્યોના વાણી-વિણાસના પગલે બંધારણમાં અપાયેલા મૂળભૂત અધિકારો બાબતે ચર્ચા શરૂ થઈ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે બંધારણે આપેલા અધિકારનો આ ટોળકીએ દુરુપયોગ કર્યો હોવાનું ઘણાં લોકો માને છે. આ વિવાદના પડઘા સંસદમાં પણ પડ્યા છે અને Social Media પર સેન્સરશિપ મૂકતો કાયદો ઘડવા ShivSena MP નરેશ માસકે દ્વારા માગણી થઈ છે. રાષ્ટ્રીય મહિલા આયોગે મંગળવારે રણવીર અને સમય રૈના સહિત અન્યોને નિવેદન આપવા ૧૭મીએ બોલાવ્યા છે.