Ahmedabad,તા.21
ગઇકાલે ભાજપ કાર્યાલય કમલમ કોબા ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ તરફથી પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની શ્રદ્ધાંજલિ સભામાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાજી, રાષ્ટ્રીય સંગઠનમંત્રી વી. સતીષજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર. પાટીલ, મંત્રી નિમુબેન બાંભણિયા, સંગઠન મહામંત્રી રત્નાકરજી પંજાબના મહામંત્રી, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, પૂર્વ પ્રમુખ આર. સી. ફળદુ, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, સંઘના પ્રાંત પ્રચારક, એબીવીપી પ્રાંત પ્રચારક, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદ સભ્યો ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, દરેક જિલ્લાના પ્રભારીઓ અને પ્રમુખો ગુજરાત સંગઠન એકમના દરેક પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલી સમર્પિત કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સ્વ.વિજયભાઈ રૂપાણીના અકાળે નિધન પર ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોકમગ્ન પરિવારને સાંત્વના પાઠવી હતી.