Srinagar તા.5
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતના કડક પગલાથી ઉશ્કેરાયેલા પાકિસ્તાનની સેના દ્વારા સતત 11મા દિવસે એલઓસી પર યુદ્ધ વિરામનો ભંગ કરીને ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે, જેનો ભારતીય સેના પણ ઉચીત જવાબ આપી રહ્યું છે.
પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે આઠ અગ્રિમ સેકટરોમાં ઉશ્કેરણી વિના ફરીથી યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબારી કરી હતી. સામે પક્ષે ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપી ફાયરીંગ કર્યું હતું.
એક સુરક્ષા પ્રવકતા દરમિયાન તા.4 મે અને 5 મે ની રાત્રે પાકિસ્તાની સેનાની ચોકીઓ સહિત જમ્મુ-કાશ્મીરના કૂપવાડા, બારામુલ્લા, પુછ, રાજૌરી, મેન્ટ, નૌશેરા, સુંદરબની અને અખનૂર સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખાની સામે પણ ઉશ્કેરણી વિના નિયંત્રણ રેખાના પારથી પાકિસ્તાની સૈન્યે ગોળીબારી કરેલી જેનો ઉચીત જવાબ ભારતના સૈનિકોએ આપેલો.