કોમનવેલ્થ સુધીમાં ટ્રાફિક ઘટાડવા સરકાર-છસ્ઝ્રનો મોટો નિર્ણય
Ahmedabad તા.૨૧
રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને શહેરીજનો વધુમાં વધુ જાહેર પરિવહનની સેવાનો ઉપોયગ કરે તે માટે આગામી વર્ષ ૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ સુધી લક્ઝરી બસો અને ગુજરાત જી્ નિગમની બસો શહેરની બહાર દોડાવવામાં આવશે. અમદાવાદમાં ભારે લક્ઝરી અને એસટી બસો એસજી હાઈવે અને એસપી રિંગ રોડ સુધી જ આવશે. હાઈવેથી જાહેર પરિવહન સેવા છસ્જી, મ્ઇ્જી અને મેટ્રોનો ઉપયોગ થાય તે પ્રકારનું આયોજન સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જાહેર એક્ઝિબિશન ’છદ્બઙ્ઘટ્ઠદૃટ્ઠઙ્ઘદ્ગઠ્’ના ઉદ્ઘાટન પ્રસંગમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી અને અસારવાના ભાજપ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, આગામી વર્ષ ૨૦૩૦માં અમદાવાદમાં કોમનવેલ્થ યોજાવાની છે, ત્યારે મહત્વનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કરી રહી છે. શહેરમાં જાહેર પરિવહનની છસ્જી, મ્ઇ્જી અને મેટ્રો દોડી રહી છે. આ પ્રકારના આયોજનથી શહેરમાં ટ્રાફિક હળવો થયા તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે આ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. લોકો છસ્જી અને મ્ઇ્જી તેમજ મેટ્રોનો વધુમાં વધુ ઉપોયગ કરે તેવી મારી અપીલ છે. શહેરમાં દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. એક ઘરમાં ચાર લોકો રહેતા હોય અને ચારે વાહનોનો ઉપયોગ થાય તો ટ્રાફિક સમસ્યા વધુ થાય. જેથી લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરશે તો ટ્રાફિક ઘટાડી શકાશે. અમદાવાદ મેટ્રોસિટી છે જેથી અન્ય મેટ્રોસિટીની જેમ પ્લાનથી જો પરિવહન સેવા ચાલશે તો અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા ખૂબ ઘટાડી શકાશે.
વર્ષ ૨૦૨૩માં કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે ત્યારે અનેક પ્રતિનિધિઓ અન્ય દેશમાંથી આવશે. ત્યારે અમદાવાદ શહેરની સારી ઓળખ લઇને જશે. રોડ-રસ્તા ફૂટપાથ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વમાં અમદાવાદનું નામ રોશન કરીએ જેના માટે લોકો સરકાર અને છસ્ઝ્રને સપોર્ટ કરે એવી અપીલ છે. સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ૨૧થી ૨૩ ફેબ્રુઆરી ત્રણ દિવસ દરમિયાન રિવરફ્રન્ટ હાઉસ ખાતે ૧૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી જાહેર પરિવહન સેવા પર એક્ઝિબિઝન યોજાયું છે. આ એક્ઝિબિશન તમામ નાગરિકો માટે ખુલ્લુ રહેશે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરમાં જાહેર પરિવહનને મજબૂત બનાવી સર્વસમાવેશક, જલવાયુ-સહનક્ષમ અને લોકો-કેન્દ્રિત મોબિલિટી અંગે શહેરવ્યાપી ચર્ચા થશે.
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદને ૨૦૩૬ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવાના ભવ્ય વિઝનની રૂપરેખા રજૂ કરાઈ હતી. આગામી ૨૫થી ૫૦ વર્ષના આયોજન સાથે સેકન્ડ રિંગ રોડ, લોજિસ્ટિક પાર્ક અને સાબરમતી રિવરફ્રન્ટનું વિસ્તરણ અમદાવાદને વિશ્વસ્તરીય ’લિવબલ સિટી’ બનાવશે. તેમણે રિંગ રોડ પર ટ્રાફિક ઘટાડવા કનેક્ટર વાહનોના ઉપયોગ અને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગ સુવિધા વધારવા પર ભાર મુકાયો છે.
અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૭૦ સુધીના ’નેટ ઝીરો’ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા છસ્ઝ્ર કટિબદ્ધ છે. આ માટે શહેરમાં ૩૦૦૦થી વધુ ઈ-બસો દોડાવવાનું આયોજન છે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા વાહન વેરામાં ૧૦૦% મુક્તિ અપાઈ છે. સાથોસાથ સ્અમ્આ જેવી સેવાઓ દ્વારા પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો. શહેરી વિકાસના વિભાગના અગ્રસચિવ એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, ૨૦૩૦ની કોમનવેલ્થ અને ૨૦૩૬ની ઓલિમ્પિક્સ માટે બીડિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ એર ક્વોલિટી (છઊૈં) સુધારવા માટે એરપોર્ટ અને ગિફ્ટ સિટીને જોડતી ૪ નવી મેટ્રો લાઇનનો પ્રસ્તાવ છે. ગુજરાત સરકાર દ્વારા પરિવહન માટે વાયબીલીટી ગેપ ફન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ’લાસ્ટ માઈલ કનેક્ટિવિટી’ અને સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરતા ં તેમણે જણાવ્યું કે, કલોલ અને સાણંદ જેવા સેટેલાઇટ ટાઉન્સને ’રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ (ઇઇ્જી) થી જોડવામાં આવશે, જેનાથી મુસાફરીનો સમય માત્ર ૩૦-૪૫ મિનિટ થઈ જશે. આ પ્રસંગે ધારાસભ્ય અમિત શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, છસ્જી ચેરમેન ધરમશી દેસાઈ, અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

