Ahmedabad,તા.12
:આજે એરઈન્ડીયાના લંડન જતા વિમાનને નડેલી દુર્ઘટનામાં વિમાનનું સંચાલન સંભાળી રહેલા કેપ્ટન સુમીત સભરવાલ 8200 કલાકનો ફલાઈંગ અનુભવ ધરાવે છે અને કો-પાઈલોટ પાસે 1100 કલાકનો વિમાની ઉડ્ડયનના અનુભવ ધરાવે છે.
આ વિમાન બપોરે 11.39 કલાકે અમદાવાદથી રવાના થયુ હતુ. રનવે નંબર-23 પરથી વિમાનને ટેક ઓફની મંજુરી અપાઈ હતી. વિમાન રવાના થયાના પાઈલોટે મેડે તાકીદની મદદનો સંદેશ કંટ્રોલ ટાવર પર આવ્યો હતો.
મેડે એક આંતરરાષ્ટ્રીય તાકીદનો સંદેશ છે. જેમાં વિમાન કે જહાજના કેપ્ટન તેઓ અત્યંત ખતરામાં છે તેવો સંદેશ આપે છે અને તાકીદની મદદની જરૂર દર્શાવે છે. જો કે વિમાનને મદદ મળે તે પુર્વે જ વિમાન ક્રેશ થઈ ગયુ હતું.
વિમાન એરપોર્ટ એરિયાની બહાર મેઘાણીનગર પાસેના મેદાનમાં વિમાન જઈને પડયું હતું અને ધડાકા સાથે તેમાં મોટા વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. વિમાન બી-787 પ્રકારનું હતુ અને ફલાઈટ એઆઈ-171 અમદાવાદથી લંડન જઈ રહી હતી.
DGCAનુ નિવેદન: પાયલોટે ‘મેડે’ મેસેજ કર્યો પણ પછી પ્રત્યુતર ન મળ્યો: ક્રેશ બાદ આકાશમાં ધુમાડાના વાદળ
અમદાવાદ એરપોર્ટ પાસે લંડન જતુ એર ઈન્ડિયાનુ વિમાન ક્રેશ થયુ હતુ તે વિશે ડીરેકટોરેટ જનરલ ઓફ સીવીલ એવિએશન દ્વારા એમ કહેવાયુ છે કે એરપોર્ટના રનવે 23 પરથી બપોરે 1.38 વાગ્યે ઉડાન ભરી હતી અને ગણતરીની મીનીટમાં પાયલોટ તરફથી એટીસીને ‘મેડે’નો કોલ કરાયો હતો.
પરંતુ એટીસી દ્વારા એરક્રાફટનો સંપર્ક કરાયો ત્યારે કોઈ જવાબ મળ્યો ન હતો. એરપોર્ટ સંકુલની બહાર જ વિમાન તુટી પડયુ હતુ અને તે સાથે જ પ્રચંડ વિસ્ફોટ સાથે આગમાં લપેટાયુ હતુ. આકાશમાં ધુમાડાના ગોટેગોટા વાદળો સર્જાયા હતા.