New Delhi,તા.12
અમદાવાદમાં સર્જાયેલી વિમાની દુર્ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઈ ગયેલ છે. આ પહેલા અમિત શાહે અમદાવાદના પોલીસ કમિશ્નર સાથે ફોન ઉપર વાતચીત કરી સમગ્ર દુર્ઘટનાની વાત કરી હતી.
બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહ અને કેન્દ્રીય નાગરીક ઉડયન મંત્રી રામમોહન નાયડુ સાથે વાત કરી હતી અને બાદમાં શાહને અમદાવાદ પહોંચવા જણાવ્યું હતું.
બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ આવવા નિર્ણય લીધો હતો અને તેઓ કોઈપણ સમયે અમદાવાદ પહોંચી શકે છે.