New Delhi,તા.06
સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે મંગળવારે રાજ્યસભામાં ઈન્સ્ટાગ્રામ રીલ્સનો મુદ્દો ઉઠાવ્યો. રીલ્સ બનાવનાર પર રોષે ભરાયેલા પ્રોફેસર રામ ગોપાલ યાદવે કહ્યું કે લોકો એવા વસ્ત્ર પહેરે છે કે નજર ઝૂકી જાય છે. તેમણે કહ્યું કે કોઈ પણ સમાજમાં ન્યૂડિટી અને આલ્કોહોલિઝમ વધી જાય છે તો ઘણી સભ્યતાઓ નષ્ટ થઈ જાય છે. પ્રોફેસર યાદવે સરકારને આને રોકવા માટે પગલા ઉઠાવવાની માગ કરી અને જનસંઘના જમાનાથી જ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની સુરક્ષાના સૂત્રો પણ યાદ અપાવ્યા.
તેમણે કહ્યું કે અમારા જમાનામાં અંગ્રેજી છઠ્ઠા ધોરણથી ભણાવવામાં આવતું હતું જ્યારે બાળક થોડું શીખી લેતું હતું ત્યારે તેને જણાવવામાં આવતું હતું’… ‘કેરેક્ટર ઈઝ લોસ, એવરીથિંગ લોસ.’ પ્રોફેસર રામગોપાલ યાદવે કહ્યું કે આજે સ્થિતિ એ છે કે અમુક પ્લેટફોર્મ અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ રીલ્સનું નામ લેવા ઈચ્છીશ. સપા સાંસદે કહ્યું કે અનુમાનો અનુસાર આપણા યુવાનો દરરોજ સરેરાશ ત્રણ કલાક ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવા, અભદ્ર સીરિયલ્સ અને અભદ્ર પ્રોગ્રામ જોવામાં પસાર કરી રહ્યાં છે.
પ્રોફેસર યાદવે કહ્યું કે સાથે બેસવાથી, સાથે ભોજન જમવાથી પરિવારમાં જે પ્રેમ હોય છે, આજે તે નથી. લોકો સાથે બેસી રહે છે પરંતુ ફોનમાં વ્યસ્ત રહે છે. તેમણે કહ્યું કે દરરોજ એવા સમાચાર જોવા મળી રહ્યાં છે કે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ, લગ્ન થયા જે બાદ યુવકે યુવતીની હત્યા કરી દીધી. આ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે. પ્રોફેસર યાદવે ઓનલાઈન ક્લાસીસનો પણ ઉલ્લેખ કર્યો અને સરકારથી ઈન્સ્ટાગ્રામ રીલ્સ, સમાજમાં ન્યૂડિટી અને આલ્કોહોલિઝમ વધારનાર પ્લેટફોર્મ્સને લઈને પગલા ઉઠાવવાની માગ કરી.
મહારાષ્ટ્રથી એનસીપી સાંસદ ફોજિયા ખાને ઓનલાઈન ગેમિંગની લતના કારણે બાળકો પર પડી રહેલી અસરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે મહારાષ્ટ્રના પૂણેમાં એક બાળકની આત્મહત્યાનો પણ ઉલ્લેખ કર્યો અને તેને લઈને રેલ્યુલેશન બનાવવાની માગ કરી. આ પહેલા પંજાબથી આમ આદમી પાર્ટીના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ પણ સોશિયલ મીડિયા દ્વારા નફરત ફેલાવવાનો મુદ્દો ઉઠાવ્યો.
આમ આદમી પાર્ટીના સાંસદે રાજ્યસભામાં કહ્યું કે સોશિયલ મીડિયા પર કોઈ રોક-ટોક નથી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર ગમે તે માટે કંઈ પણ લખવામાં આવી રહ્યું છે. એટલે સુધી કે આપણા વડાપ્રધાન, નેતા વિપક્ષ માટે પણ. વિક્રમજીતે કહ્યું કે થોડા દિવસ પહેલા જ સેનાના એક વરિષ્ઠ અધિકારી માટે કંઈક એવું લખેલું હતું જેને અમે ગૃહમાં બોલી પણ નથી શકતાં.
તેમણે કહ્યું કે તેનાથી સોસાયટીમાં ટેન્શન થઈ રહ્યું છે. આવા એકાઉન્ટ્સ બંધ કરવામાં આવે. વિક્રમજીત સિંહે કહ્યું ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે પરંતુ લિબર્ટી પણ જરૂરી છે. તેમણે કહ્યું કે અમે આ મુદ્દે પ્રાઈવેટ મેમ્બર્સ બિલ પણ ગૃહમાં આપ્યું હતું. તેને લઈને કાયદો બનાવવો જોઈએ.