Jaipur,તા.02
મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઈપીએલ 2025ની મેચમાં રોહિત શર્માએ જે રીતે ડીઆરએસ લીધો તેના પર વિવાદ થયો છે. મેચ દરમિયાન અમ્પાયરે રોહિતને આઉટ આપ્યો હતો. રોહિતે DRS લેવામાં થોડો સમય લીધો હતો. લોકો કહે છે કે તેણે 15 સેકન્ડ પછી DRS લીધો હતો. સોશિયલ મીડિયા પર આ અંગે ભારે વિવાદ ચાલી રહ્યો છે.
રોહિતે રિવ્યૂ લીધા પછી ત્રીજા અમ્પાયરે જોયું કે બોલ લેગ સ્ટમ્પની બહાર પિચ થયો હતો. એટલા માટે રોહિતને આઉટ અપાયો નહોતો. આ પછી રોહિતે સારી બેટિંગ કરી અને અડધી સદી ફટકારી હતી. તેણે રિકલ્ટન સાથે 116 રનની ભાગીદારી કરી હતી.
આ મેચમાં રોહિતે મુંબઈ ઈન્ડિયન્સ માટે 6000 રન પણ પૂરા કર્યા હતા. આ પહેલા રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકીએ રોહિત શર્માને LBW આઉટ કર્યો હતો. અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. રોહિત DRS લેવા માટે થોડો મૂંઝવણમાં હતો. 15 સેકન્ડનો સમય પૂરો થવાનો હતો.
એવું લાગતું હતું કે, રોહિત DRS નહીં લે. પરંતુ ટાઈમર શૂન્ય પર પહોંચતા જ તેણે DRS માટે સંકેત આપ્યો હતો. કેટલાક લોકો માને છે કે તેમણે સમય પૂરો થયા પછી DRS લીધો હતો. પછી ત્રીજા અમ્પાયરે જોયું કે બોલ લેગ સ્ટમ્પની બહાર પિચ થઈ ગયો હતો. તેથી અમ્પાયરનો નિર્ણય બદલવામાં આવ્યો હતો. રોહિત શર્માને જીવનદાન મળ્યું હતું. તેને ખૂબ જ રાહત થઈ અને તેણે સ્મિત આપ્યું હતું.
પણ વાર્તા અહીં પૂરી ન થઈ. ઘણા લોકોએ કહ્યું કે રોહિતે 15 સેકન્ડ પછી DRS માટે સંકેત આપ્યો હતો. ડીઆરએસના નિયમો અનુસાર, ખેલાડીઓએ નિર્ણય લીધાના 15 સેકન્ડની અંદર ડીઆરએસ લેવાનો હોય છે. અમ્પાયરનો નિર્ણય સાચો હતો કે નહીં તે અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે.
રોહિત શર્માને તક મળી અને તેણે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે 36 બોલમાં 53 રન બનાવ્યા હતા. ઇન્ટરનેટ પર અમ્પાયર વિનોદ સેશનની તટસ્થતા અંગે પણ પ્રશ્ન પૂછાઈ રહા છે. ખાસ કરીને એક વ્યક્તિએ લખ્યું કે શંય વિનોદ સેશન મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે ટ્રાવેલ કરે છે? તેઓ મુંબઈ ઈન્ડિયન્સની 11 માંથી 7 મેચમાં ઓન ફિલ્ડ અમ્પાયર છે.