New Delhi,તા.10
ભારતીય ક્રિકેટમાં ક્યારેય એવું બન્યું નથી કે ત્રણ ફોર્મેટ માટે ત્રણ અલગ અલગ કેપ્ટન જોયા હોય. જો કે, હવે આ જોઈ શકાય છે. સૂર્ય કુમાર યાદવ ટી20 ટીમનો હવાલો સંભાળી રહ્યા છે જ્યારે શુભમન ગિલને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા હજુ પણ વનડે ટીમનો કેપ્ટન છે, પરંતુ તેમના ભવિષ્ય અંગે ઘણાં સવાલો છે. આ દરમિયાન, શ્રેયસ ઐયરે કેપ્ટનશીપ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે.
એક ઇન્ટરવ્યૂ શ્રેયસ ઐયર કહ્યું કે, ‘મને કેપ્ટનશીપ ગમે છે કારણ કે હું ખેલાડીમાં જવાબદારીની ભાવના લાવું છું. કેપ્ટનશીપ પરિપક્વતા અને જવાબદારી લાવે છે. તમારી પાસેથી હંમેશા ટીમમાં શ્રેષ્ઠ રીતે યોગદાન આપવાની અપેક્ષા રાખવામાં આવે છે કારણ કે જ્યારે તમે એક ટીમ તરીકે કોઈપણ સમસ્યાનો સામનો કરો છો, ત્યારે ટીમ કેપ્ટન પાસે જાય છે. મને લાગે છે કે મને કેપ્ટનશીપનો ઘણો અનુભવ છે કારણ કે હું 22 વર્ષની ઉંમરથી કેપ્ટનશીપ કરી રહ્યો છું. મને ખુશી છે કે હું કેપ્ટનશીપ કરી શકું છું અને ટીમનું નેતૃત્વ વધુ સારી રીતે કરી શકું છું.’