Savarkundla,તા.28
નિયામક આયુષની કચેરી – ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી અમરેલી ના માર્ગદર્શન તથા ડો. હેડગેવાર સેવા સમિતિના સહયોગ થી સ.આ.દ.ઘોબા તા.સાવરકુંડલા. જી.અમરેલી દ્વારા ઉતાવળાહનુમાનમંદિર, સાવરકુંડલા ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ નિદાન કેમ્પ મા સારવાર સાથે લોકાને દિનચર્યા તથા ઋતુચર્યા તથા ઋતુજન્ય રોગચાળા થી બચવાના ઉપાયો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.જેમાં બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.
આ નિદાન કેમ્પમાં વૈધ કે.બી.ગોંડલીયા તથા વૈધ દેવેન્દ્ર ચૌહાણ એ સેવા આપી હતી. આ કેમ્પ ની સાથો સાથ આયુર્વેદ વિશે અને આયુર્વેદનું મહત્વ પણ બધાએ જાણ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનો લાભ લીધો હતો. અંતે ઉલ્લેખનીય છેકે ઋતુ જન્ય રોગચાળા હાલ વધી રહ્યા છે ત્યારે આયુર્વેદ ઘણું મહત્વનું સાબિત થાય છે ત્યારે એના અનુસંધાને આ કેમ્પ યોજાયો હતો.