પાકિસ્તાનના ટોચના નેતાઓએ પણ કબૂલ્યું છે કે, તેઓ આતંકવાદીઓને આશરો આપી રહ્યા છે
Pakistan,તા.21
પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અડ્ડાઓનો ખાતમો બોલાવી દીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના ૧૧ એરબેઝ પણ નષ્ટ કરી દીધા છે. આ તમામ ઘટનાક્રમોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
પાકિસ્તાનના ટોચના નેતાઓએ પણ કબૂલ્યું છે કે, તેઓ આતંકવાદીઓને આશરો આપી રહ્યા છે. આ તમામ મુદ્દાઓ સામે આવ્યા બાદ વિશ્વભરમાં પાકિસ્તાનની ફજેતી થઈ છે, જોકે તેમ છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવતું નથી અને આ જ ક્રમમાં તેણે સેનાના અધ્યક્ષ અસીમ મુનીરનું પ્રમોશન કર્યું છે.
તાજેતરમાં જ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદે ભારે તણાવ થયો હતો, જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી હતી. જોકે તેમ છતાં પાકિસ્તાનની કેબિનેટે આજે (૨૦ મે) મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે જનરલ અસીમ મુનીરને ફીલ્ડ માર્શલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
પાકિસ્તાની સશસ્ત્ર દળોમાં ફીલ્ડ માર્શલની પોસ્ટ સર્વોચ્ચ માનવામાં આવે છે. પાકિસ્તાનના ઈતિહાસમાં જનરલ અસીમ મુનીર બીજા ફીલ્ડ માર્શલ બની ગયા છે. આ પહેલા અયૂબ ખાનને ૧૯૫૯-૧૯૬૭ દરમિયાન ફીલ્ડ માર્શલનની પોસ્ટ અપાઈ હતી.
એક સમય હતો કે જે પાકિસ્તાનમાં આર્મી સામે કોઇ ચું કે ચા કરી શકતા ન હતા તેના સ્થાને હવે આર્મીની ટીકા થવીએ કમજોરીની નિશાની છે. પાકિસ્તાન આર્મીના પ્રમુખ અસીમ મુનીર સામે રાજકિય દળોમાં પણ જબરદસ્ત ગુસ્સો જોવા મળે છે. તેમની પાર્ટીના ફવાદખાન,ઉમર અયૂબખાન, મહમૂદખાન અચકઇ મુનીરને ટાર્ગેટ કરતા રહે છે. થોડા દિવસે પહેલા પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર મુનિર આઉટ નામનો ટ્રેંડ ચાલી રહયો હતો, જેના માટે ઇમરાનખાનની પાર્ટી પીટીઆઇ (પાકિસ્તાન તહરિકે ઇન્સાફ)ને જવાબદાર ગણવામાં આવે છે. મુનીરને હટાવો, ઇમરાનખાનને મુકત કરો અને પાકિસ્તાન બચાવો વગેરે નારાઓ પીટીઆઇનાના ઓફિશિયલ હેન્ડલ પર જોવા મળે છે.
અસીમ મુનીર ૨૦૨૨થી પાકિસ્તાનના આર્મી ચીફ છે. તેઓ પાકિસ્તાનના ૧૧મા આર્મી ચીફ છે. આર્મી ચીફ બનતા પહેલા તેઓ ય્ૐઊમાં ક્વાર્ટરમાસ્ટર જનરલ તરીકે તહેનાત હતા.
મુનીરે ૧૯૮૬માં લશ્કરી કારકિર્દી શરૂ કરી હતી અને હવે ૨૦૨૫માં ફિલ્ડ માર્શલ બન્યા છે. તેમને નિશાન-એ-ઇમ્તિયાઝ, હિલાલ-એ-ઇમ્તિયાઝ અને સ્વોર્ડ ઓફ ઓનર (પાકિસ્તાન)થી પણ નવાજવામાં આવ્યા છે.