જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે 29 માર્ચે પહેલું સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રના જાણકાર જણાવી રહ્યાં છે કે આ એક આંશિક સૂર્ય ગ્રહણ હશે. આ વખતે શનિ અમાસ પર સૂર્ય ગ્રહણનો ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સિવાય આ દિવસે શનિ દેવ અઢી વર્ષ બાદ રાશિ બદલવા જઈ રહ્યાં છે. આ દિવસે શનિ દેવ કુંભથી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સૂર્ય ગ્રહણ ઉત્તરાભાદ્રપદ્ર નક્ષત્રમાં લાગશે, તેથી આ નક્ષત્રમાં જન્મેલા લોકો માટે આ સૂર્ય ગ્રહણ ખૂબ ખાસ છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ સૂર્ય ગ્રહણ આર્થિક રીતે અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. સૂર્ય ગ્રહણના શુભ પ્રભાવથી આર્થિક સ્થિતિ અને પણ મજબૂત થશે. આ દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સાથે જ આ દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રહેશે. વિદ્યાર્થી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર માટે આ સમય અનુકૂળ રહેશે.
કર્ક રાશિ
વર્ષનું સૂર્ય ગ્રહણ અને શનિનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. આ સૂર્ય ગ્રહણના શુભ પ્રભાવથી નોકરી અને વેપારમાં જોરદાર આર્થિક પ્રગતિ જોવા મળશે. વેપારમાં ધનની સ્થિતિ સારી થશે. મિત્રોના સહયોગથી નોકરીની સારી ઓફર મળી શકે છે. કાયદેસર વિવાદોથી છુટકારો મળી શકે છે.
તુલા રાશિ
સૂર્ય ગ્રહણના શુભ પ્રભાવથી પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. પરિવારમાં સભ્યોની વચ્ચે આંતરિક ગેરસમજ દૂર થશે. દાંપત્ય જીવન સારું રહેશે. નવવિવાહિત દંપતીને કોઈ ખુશખબર મળી શકે છે. આ દરમિયાન વેપારમાં આર્થિક રોકાણથી મોટો લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યોના વખાણ થશે.
મકર રાશિ
વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ અને શનિનું ગોચર મકર રાશિના લોકો માટે અનુકૂળ કહેવાઈ રહ્યું છે. શનિ દેવની વિશેષ કૃપાથી બગડેલા કાર્ય બનતા નજર આવશે. વેપારમાં ભાગીદારનો સાથ મળશે. નોકરિયાત જાતકોને સારી ખુશખબરી મળી શકે છે. પૈતૃક સંપત્તિમાં વધારો થશે. આ દરમિયાન રોકાણથી પણ સારું રિટર્ન મળી શકે છે.
મીન રાશિ
સૂર્ય ગ્રહણ અને શનિ-ગોચરનો સંયોગ મીન રાશિના લોકો માટે અત્યંત શુભ અને લાભકારી છે. આ દરમિયાન શનિ દેવની વિશેષ કૃપાથી નોકરી અને વેપારમાં જોરદાર આર્થિક પ્રગતિ જોવા મળી શકે છે. પરિવારમાં પિતા કે કોઈ મોટા સભ્યથી આર્થિક લાભ થશે. જે કામ લાંબા સમયથી અટકેલું હતું, તે સફળતાપૂર્વક પૂર્ણ થશે.