શાપર-વેરાવળ ખાતે મિત્રના પરિવારની મહિલાના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા યુવાનનુ ઢીમ ઢાળી દેવાના ગુનામા જેલ હવાલે રહેલા પૈકી પાર્થ રાઠોડ ને ગોંડલની અદાલતે જામીન ઉપર છોડી મૂકવા હુકમ કર્યો છે.શાપર-વેરાવળના આનંદ સોસાયટીમાં રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા શહેજાદ હિંગોરા (ઉ.૨૫) મામદેવના મંદિર પાસે હતો ત્યારે મુકેશ ધીરુ માલકીયા, દિલીપ ભરત રાઠોડ, મિલન રમેશ રાઠોડ અને રાજેશ ભનુ ડાભીએ છરીથી છરીના ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. શાપર-વેરાવળ પોલીસે રાજકોટના મવડી ચોકડી સોમનાથ સોસાયટીમાં રહેતા સાગર ભીખુ સોલંકી ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમા મૃતક શહેજાદ હિંગોરાના ભાઈ અલ્તાફ સાથે નોનવેજની દુકાન ચલાવે છે. તેના મિત્રના પરિવારની મહિલાને શાપર-વેરાવળમાં રહેતા મુકેશ ની પરિવારની મહિલાઓ સાથે ઝઘડો થયો હતો. બે પરિવાર વચ્ચેની મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડામાં મિત્રતાના દાવે સમાધાન માટે ગયો હતો.આ બંને પરિવાર વચ્ચેના ઝઘડામાં કારણ વગર શહેજાદ હિંગોરાને વચ્ચે પડતા તેને મોત મળ્યું હતું. હાલ જેલ હવાલે રહેલા પાર્થ ભરતભાઈ રાઠોડ એ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી. જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલમાં ચાર્જસીટ ફાઇલ થઈ ગયેલ છે આરોપી પાસેથી કોઈ રિકવરી ડીસ્કવરી કરેલ નથી, જામીનના તબક્કે તમામ ગુણદોષ ચર્ચા અસ્થાને છે. આરોપીનો રોલ ગુનાના પ્રકાર સજાની જોગવાઈ અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદા ધ્યાને લઇ ગોંડલની અદાલતે પાર્થ ભરત રાઠોડ ને જામીન પર છોડવા હુકમ કર્યો છે. બચાવ પક્ષે એડવોકેટ તરીકે સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપ પટેલ, કલ્પેશ નસીત નેમિસ જોશી, અનિતા રાજવંશી અને આસિસ્ટન્ટ ઈશા કણજારીયા રોકાયેલ હતી
Trending
- વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
- ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
- પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
- Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
- Abhishek Sharma ૧૩૭ બેટ્સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
- Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
- ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
- બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court