Mumbai,તા.09
ભારતીય ટીમનો કેપ્ટન અને મુંબઈ ઇન્ડિયન્સનો અનુભવી બેટર રોહિત શર્મા હાલમાં IPL 2025માં ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં પણ તે બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી નવ બોલમાં 17 રનની જ ઇનિંગ્સ રમી શક્યો હતો. આ મુશ્કેલ સમયમાં તેના માટે એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે.
વાનખેડે સ્ટેડિયમની અંદર ભારતના ભૂતપૂર્વ સ્ટાર બેટર્સ સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકરનાં નામનાં સ્ટેન્ડ છે. મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) પાસે હવે એક સ્ટેન્ડ નામ આપવા માટે ઉપલબ્ધ છે.પ્રેસિડન્ટ બોક્સ પાસેના આ સ્ટેન્ડના નામ માટે ક્લબના સભ્યો તરફથી આઠ જેટલા મહાનુભવોનાં નામની વિનંતી આવી છે. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નામ પણ સામેલ છે.
અહેવાલ અનુસાર આ નિર્ણય 15 એપ્રિલે MCAની ઍપેક્સ કાઉન્સિલની બેઠક દરમ્યાન લેવામાં આવશે.સૌથી વધુ 13 સિક્સર IPL ઈનિંગ્સની પહેલી ઓવરમાં મારવાના (12)ના રેકોર્ડને રોહિત શર્માએ તોડ્યો છે.