Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virat Kohliના નિશાને 3 મહા રેકોર્ડ

    October 18, 2025

    Gill કેપ્ટનશિપના દબાણમાં નથી : Akshar Patel

    October 18, 2025

    Dhoraji: જૂની અદાવતમાં બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી

    October 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virat Kohliના નિશાને 3 મહા રેકોર્ડ
    • Gill કેપ્ટનશિપના દબાણમાં નથી : Akshar Patel
    • Dhoraji: જૂની અદાવતમાં બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી
    • Sutrapada માં વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલક ઝડપાયો
    • Mithapur ના ચકચારી જમીનના સોદામાં વિશ્વાસઘાત પ્રકરણના આરોપીના જામીન મંજૂર
    • Upleta ના ચેક રિર્ટન કેસમાં આરોપીને છ માસની સજા,બે લાખનું વળતર ચૂકવવા હુકમ કરતી કોર્ટ
    • Gondal માં વોલ્મોની ઓફિસમાં ત્રાટકેલા તસ્કરો રૂ.1.36 લાખની રોકડ ચોરી ફરાર
    • ચીનના રાજકારણમાં ભૂકંપ : રાષ્ટ્રપતિપદના દાવેદાર – જિનપિંગની નજીકના નેતાની હકાલપટ્ટી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»તમસો મા જયોતિર્ગમય : આજે ધનતેરસ : સોમવારે પ્રકાશનું પર્વ દિવાળી
    ધાર્મિક

    તમસો મા જયોતિર્ગમય : આજે ધનતેરસ : સોમવારે પ્રકાશનું પર્વ દિવાળી

    Vikram RavalBy Vikram RavalOctober 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આસુરી શકિત સામે દૈવીશક્તિના વિજયનું મહાપર્વ દિવાળી પર્વની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. વાક્બારસના લોકોએ માઁ સરસ્વતી પૂજન કર્યુ, આજે ધનતેરસ છે, આવતીકાલે કાળી ચૌદશ, સોમવારે દિવાળી પર્વ અનેરા ઉમંગ તથા ઉત્સાહ સાથે સર્વત્ર ઉજવાશે. મંગળવારના પડતર દિવસ છે. બુધવારે વિક્રમ સંવત ર08રના વર્ષનો પ્રારંભ અર્થાત નૂતન વર્ષ, બેસણું વર્ષ છે. ગુરૂવારે ભાઇબીજ તથા તા. ર6ના રવિવારે લાભપાંચમ ઉજવાશે.

    દિવાળી પર્વની ઉજવણીમાં બજારોમાં નવી ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે. લોકો પોતાના ઘરના આંગણે રંગોળી પૂરે છે. રાત્રે દીવડાઓ કરે છે અને ફટાકડા ફોડીને ઉત્સવની હૈયાના હેતથી ઉજવણી કરે છે.

    આજે ધનતેરસ છે. ધનતેરસના લોકો ઘર, દુકાન કે ઓફિસને દિવાઓ અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીના પગલાની આકૃતિ ખાસ કરવામાં આવે છે આજે નવું ધાન, ખાસ તો સોનુ-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. ધનતેરસના દિવસે સમૃધ્ધિના દેવ કુબેરની પૂજા, મહાલક્ષ્મીજીની પૂજા, શ્રીમંત્ર, સોના-ચાંદીના સિકકાની પૂજા કરવામાં આવે છે.

    આ દિવસને સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ધન્વંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આજે આયુર્વેદના પ્રેકટીશ્નરો ભગવાન ધન્વંતરિનું પૂજન કરશે આજે માઁ સરસ્વતીની  પણ પૂજા થાય છે. વ્યાપારી વર્ગનો સંબંધ  જમા-ઉધારનો હિસાબ લખવાના ચોપડા સાથે છે. તેથી વેપારી વર્ગ ચોપડાનું પૂજન કરે છે. ધનતેરસના દિવસે નવા ચોપડા ખરીદીને તેનું પૂજન કરવામાં આવે છે.

    કાળી ચૌદશ
    આવતીકાલે કાળી ચૌદશ કે કાળરાત્રીની ઉજવણી કરાશે. તેને નરક ચતુર્દશી પણ કહેવાય છે. આ દિવસે યમરાજ,  ભગવાન શ્રી કૃષ્ણ તથા હનુમાનજીની પૂજા કરવાનો પણ નિયમ છે. આ દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે. સાંજે ગૃહિણીઓ કાણાવાળા વડા અને પુરી ઘર નજીકના ચાર રસ્તે મુકીને કકળાટ કાઢે છે.

    સોમવારે દિવાળી પર્વ
    તા.20મીના વિક્રમ સંવત ર081ના વર્ષનો અંતિમ દિવસ છે. દિવાળીમાં સાંજના પ્રદોષ કાળનું તથા રાત્રીના નિશીથ કાળનું મહત્વ હોય છે. આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પાદુર્ભાવ થયો હતો. શ્રી રામચંદ્ર ભગવાન રાવણને મારી વિજય મેળવી અને દિવાળીના દિવસે અયોધ્યા પરત પધાર્યા હતા ત્યારે અયોધ્યામાં ઘેર ઘેર રંગોળી  અને દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

    આ દિવસે શારદાપૂજન-લક્ષ્મીપૂજન ચોપડા પૂજન કરવામાં આવે છે. ઘેર ઘેર રંગોળી તથા દીવડા પ્રગટાવીને  દિવાળી પર્વ ઉજવવામાં આવે છે. રાત્રે આતશબાજીનો નઝારો જોવા મળે છે.

    પડતર દિવસ
    તા.21મીના મંગળવારે તિથિ ભેદના કારણે પડતર દિવસ છે.

    બુધવારે નૂતન વર્ષ
    તા. 22મીના વિક્રમ સંવત 2082ના વર્ષનો પ્રથમ દિવસ છે. નૂતન વર્ષના વધામણા લોકો અનેરા ઉલ્લાસ સાથે કરશે. એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવશે. સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાશે. મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાશે. દિવાળીના દિવસોમાં લોકો નવા વસ્ત્રો ધારણ કરશે.

    તા.23મીના ભાઇબીજ તથા તા.26મીના રવિવારે લાભ પાંચમ સાથે દિવાળી પર્વની ઉજવણી પૂર્ણ થશે

    Dhanteras Diwali festival of lights
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    કર્તવ્યકર્મ કરવાથી પાપ-પુણ્ય બાંધતાં નથી

    October 17, 2025
    લેખ

    સત્યનો માર્ગ એ સુખી જીવન માટે રોકાણ છે; જૂઠાણાનું લક્ષ્ય એ દુ:ખી જીવનનો અંત છે

    October 17, 2025
    લેખ

    ચાલો પ્રશંસા અને પ્રશંસાથી પોતાને પ્રોત્સાહિત કરીએ – ચાલો ખોટા ખુશામતનો ત્યાગ કરીએ.

    October 17, 2025
    ધાર્મિક

    દીવો પ્રગટાવતી વખતે, ચોખા તેની નીચે રાખવાની ખાતરી કરો; તમને તેની અસર ઝડપથી દેખાશે.

    October 16, 2025
    લેખ

    તંત્રી લેખ…પાકિસ્તાન તરફથી ખતરો ઉભરી રહ્યો છે, ભારતે સતર્ક રહેવું જોઈએ

    October 16, 2025
    લેખ

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Virat Kohliના નિશાને 3 મહા રેકોર્ડ

    October 18, 2025

    Gill કેપ્ટનશિપના દબાણમાં નથી : Akshar Patel

    October 18, 2025

    Dhoraji: જૂની અદાવતમાં બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી

    October 18, 2025

    Sutrapada માં વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલક ઝડપાયો

    October 18, 2025

    Mithapur ના ચકચારી જમીનના સોદામાં વિશ્વાસઘાત પ્રકરણના આરોપીના જામીન મંજૂર

    October 18, 2025

    Upleta ના ચેક રિર્ટન કેસમાં આરોપીને છ માસની સજા,બે લાખનું વળતર ચૂકવવા હુકમ કરતી કોર્ટ

    October 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virat Kohliના નિશાને 3 મહા રેકોર્ડ

    October 18, 2025

    Gill કેપ્ટનશિપના દબાણમાં નથી : Akshar Patel

    October 18, 2025

    Dhoraji: જૂની અદાવતમાં બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી

    October 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.