Hyderabad,તા.૧
એક મોટી સફળતામાં, તેલંગાણા પોલીસે એક એન્કાઉન્ટરમાં સાત માઓવાદીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર મુલુગુ જિલ્લાના એતુરાગરમના જંગલોમાં થયું હતું. મુલુગુ એસપી ડો. સબરીશે આ માહિતી આપી હતી. પોલીસે માઓવાદીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.
પોલીસે જણાવ્યું કે તેલંગાણા પોલીસ અને માઓવાદીઓ વચ્ચે રવિવારે સવારે મુલુગુ જિલ્લાના એથુરંગારામ મંડલના ચાલપાકા વિસ્તારના જંગલોમાં અથડામણ થઈ હતી. આ અથડામણમાં યેલેન્ડુ-નરસામપેટ વિસ્તાર સમિતિના કમાન્ડર બદરુ ઉર્ફે પપન્ના માર્યા ગયા હોવાના અહેવાલ છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ એન્કાઉન્ટરને લઈને પોલીસ પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ તેલંગાણાના ભદ્રાદ્રીના કોથાગુડેમ વિસ્તારમાં તેલંગાણા પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં છ માઓવાદીઓ માર્યા ગયા હતા અને બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. માર્યા ગયેલા માઓવાદીઓમાં એક મહિલા પણ સામેલ છે.