ભાવનગર શહેર અને જિલ્લામાં ગત પખવાડીયા દરમિયાન પડેલાં કમોસમી વરસાદ બાદ ગત સપ્તાહે અરબી સમુદ્રમાં સર્જાયેલાં હવાના દબાણના કારણે ચક્રવાત અને તેના આધારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે રાજ્યના હવામાન વિભાગે ગત શુક્રવારથી પાંચ દિવસ માટે ભાવનગર જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરી હતી અને પાંચ દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાં છૂટાછવાયાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરી હતી. આ આગાહીના પગલે એક તરફ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. તો, બીજી તરફ ફરી માવઠાંને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા.સદ્દનસીબે ચક્રવાતની અસર ટળતાં ગત શનિવારે ભાવનગરનું વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું અને કયાંય વરસાદ નોંધાયો ન હતો. એ જ રીતે આજે પણ સતત બીજા દિવસે સવારથી સૂર્યદેવની વાદળો વચ્ચે સંતાકુકડી વચ્ચે ધૂંપ-છાંવ સાથે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. એટલું જ નહીં, આજે સતત બીજા દિવસે પણ શહેર અને જિલ્લામાં કયાંય વરસાદ નોંધાયો ન હતો. તો, વરસાદ અને ભારે પવનની આગાહીને લઈ અલંગ પોર્ટ પર મુકવામાં આવેલું એક નંબરનુ સિગ્નલ પણ આજે બપોર બાદ ઉતારી લેવામાં આવ્યું હતું.
Trending
- નેહરુને ફક્ત ચીન યુદ્ધ દ્વારા, અડવાણીને ફક્ત રથયાત્રા દ્વારા ન જુઓ; MP Shashi Tharoor
- પાછલી સરકારો દરમિયાન આતંકવાદીઓ સામે કાર્યવાહી ઢીલી હતી,ગૃહમંત્રી Amit Shah
- લોકો મને મારી નાખશે, મારા ઘણા દુશ્મનો છે,Tej Pratap Yadav
- Thiruvananthapuram ના પદ્મનાભસ્વામી મંદિરમાંથી ગુમ થયેલ સોનું મળ્યું
- મુકેશ અંબાણીએ તિરુમાલામાં એક આધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરી
- ઘણી વસ્તુઓ નોંધાયેલ નથી. હિન્દુ ધર્મ પણ નોંધાયેલ નથી,Mohan Bhagwat
- રાજકારણમાં સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ,લગભગ દરેક ઉમેદવાર પાસે હવે પોતાનો વોર રૂમ છે
- 10 નવેમ્બર નું પંચાંગ

