નાગા ચૈતન્ય અને સમંથાના લગ્ન ૨૦૧૭માં થયાં હતાં પરંતુ ૨૦૨૧માં તેઓ અલગ થઈ ગયાં
Mumbai, તા.૮
સમંથા રુથ પ્રભુએ તાજેતરમાં જ તેનો પૂર્વ પતિ નવા સંબંધમાં આગળ વધી ગયો તે બાબતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. થોડાં વખત પહેલાં જ સમંથાના પૂર્વ પતિ નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કર્યા.ત્યારે પોતાની ગણી વ્યક્ત કરતા તાજેતરમાં સમંથાએ કહ્યું, “એમાં ઉંડીને મેં મારે જીવનમાં ઘણું ભોગવવું પડ્યું છે.” આ અંગે સમંથા ખુશી, કડવાશ કે ઇર્ષ્યામાંથી શું અનુભવે છે, તે અંગે સમંથાએ તરત જ કહી દીધું હતું, “અરે ના. મારામાં ઇર્ષ્યાનું એક પણ લક્ષણ નથી, આ એક જ વાત છે, જેને હું મારી જાત સાથે ક્યારેય કલ્પી પણ શકતી નથી. હું તેને મારી ઓળખનો ભાગ ક્યારેય ન બનવા દઉં. મને લાગે છે કે ઇર્ષ્યા જ બધી તકલીફોનું મૂળ છે. બાકી બધું ચાલે, પરંતુ ઇર્ષ્યાથી બિનઆરોગ્યપ્રદ બીજું કશું જ નથી.”નાગા ચૈતન્ય અને સમંથાના લગ્ન ૨૦૧૭માં થયાં હતાં પરંતુ ૨૦૨૧માં તેઓ અલગ થઈ ગયાં. ત્યારથી, બંને પોતાના અંગત જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં અલગ અલરપગ રીતે આગળ વધી ગયાં છે. નાગા ચૈતન્યએ પરિવાર અને મિત્રોની હાજરીમાં મોડેલ અને એક્ટ્રેસ શોભિતા ધુલીપાલા સાથે લગ્ન કર્યાં.જ્યારે સમંથા હાલ વિવિધ ફિલ્મો અને સિરીઝ માટે કામ કરી રહી છે. તેણે તાજેતરમાં ‘સિટાડેલઃહનીબની’માં કામ કર્યું હતું, હવે તે ‘મા ઇન્તિ બંગારમ’ અને ‘રક્ત બ્રહ્માંડ’ જેવા મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.