New Delhi, તા.30
IPL 2025ની 49મી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. સીઝનની પહેલી ટક્કરમાં પંજાબે 18 રને જીત મેળવી હતી. તળિયાની ટીમ ચેન્નઈ પોતાની છેલ્લી બન્ને મેચ હારી છે, જ્યારે પંજાબ છેલ્લી બે મેચથી જીતી શક્યું નથી. એની કલકત્તા સામેની છેલ્લી મેચ વરસાદને કારણે નો-રિઝલ્ટ રહી હતી.
આજે જીત મેળવીને પંજાબની ટીમ પ્લેઑફ રેસમાં મજબૂત બનીને પોતાનો મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ સામેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ બરાબર કરવાનો પ્રયાસ કરશે. ચેપોક સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે આઠ મેચ રમાઈ છે જેમાં બન્નેએ 4-4 જીત નોંધાવી છે.
2010માં હોમ ટીમ સામે પોતાની પહેલી સુપર ઓવર મેચ જીતનાર પંજાબે છેલ્લી બન્ને મેચમાં ચેપોકમાં જીત મેળવી છે. ચેપોકમાં ચેન્નઈ સામે હેટ-ટ્રિક જીત મેળવવાની તક છે.