Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત વેચવાલી…!!

    November 18, 2025

    Rajkot હર્ષ સંઘવી મુલાકાતીઓને નિરાશ નહી કરે!

    November 18, 2025

    Rajkot માં બે ડિગ્રી પારો ગગડયો : અમરેલી – નલિયા પણ ઠંડુ

    November 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત વેચવાલી…!!
    • Rajkot હર્ષ સંઘવી મુલાકાતીઓને નિરાશ નહી કરે!
    • Rajkot માં બે ડિગ્રી પારો ગગડયો : અમરેલી – નલિયા પણ ઠંડુ
    • Rajinikanth-Kamal Haasan ની ફિલ્મનું દિગ્દર્શન ધનુષ કરે તેવી શક્યતા
    • Bollywood માં ફલોપ જતાં રાશા હવે તેલુગુ ફિલ્મ કરશે
    • Prabhas ની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશે
    • 50 વર્ષ બાદ ફરી સિનેમામાં જોવા મળશે જય-વીરૂની જોડી Sholay’
    • Pakistani singer કોન્સર્ટમાં લહેરાવ્યો તિરંગો, ‘ભારત પ્રેમ’નો વીડિયો વાઇરલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jetpur: વ્યાજના વિષચક્રમાં વેપારી ફસાયો, રૂ.1.56 કરોડ અને જમીન પડાવી લીધી
    સૌરાષ્ટ્ર

    Jetpur: વ્યાજના વિષચક્રમાં વેપારી ફસાયો, રૂ.1.56 કરોડ અને જમીન પડાવી લીધી

    Vikram RavalBy Vikram RavalApril 15, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jetpur,તા.15
    જેતપુર તાલુકાના જેતલસર ગામના વેપારીને અલગ અલગ અલગ વ્યાજખોરોની સાત શખ્સોની ટોળકીએ રૂ. 70 લાખ વ્યાજે આપી રૂ. 1.56 કરોડ પડાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. વ્યાજે લીધેલ નાણાંની સામે બે ગણાથી વધુ રકમ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોએ વેપારીની જમીન બારોબાર વેંચી મારી લાખેણી રકમ વસુલ્યા બાદ પણ સતત નાણાંની પઠાણી ઉઘરાણી કરતા અંતે વેપારીએ જેતપુર તાલુકા પોલીસમાં સાત વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ આપતાં મની લેન્ડિંગ એક્ટ સહીતની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે.
     જેતલસર ગામના વતની અને હાલ અમદાવાદના આંબાવાડી ખાતે રહેતા વેપારી વિકેશભાઇ પરસોતમભાઈ ભુવા (ઉ.વ.48)એ જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2015માં મારે ધંધા માટે રૂપિયા 40 લાખની જરૂરિયાત ઉભી થતા મેં જેતપુરના રૂપાવટી ગામના જમીન-મકાનના દલાલ મગનભાઈ ચોવટીયાને મારી જમીન વેચવા અંગે વાત કરેલી હતી. જેથી મગન ચોવટીયાએ મને કહેલ કે તમારી જમીનની પાસે બાયપાસ રોડ નીકળે છે જેથી તેના ભાવ વધશે. તમને હું શરાફી વ્યાજે રૂપિયા અપાવી દઈશ પરંતુ તમારે તમારી જમીનનો જામીનગીરી પેટે દસ્તાવેજ કરી આપવો પડશે અને મગન ચોવટીયા અને ભાવેશ ટીલાળા બંને જેતલસર ખાતે અમારા ઘરે આવેલ હતા તેની સાથે પૈસા વ્યાજે લેવાની અને પૈસા પેટે જમીન ગીરવે મૂકી દસ્તાવેજ કરી દેવાની વાત થઈ હતી. જેથી અમે તેમને જમીન બતાવેલી હતી. જે બાદ નિલેશ દામજી ટીલાળા અને ભાવેશ દામજી ટીલાળા (રહે બંને જેતપુર) પાસેથી રૂ. 40 લાખ માસિક ત્રણ ટકા વ્યાજે મગન ચોવટીયાએ અપાવી દીધેલ હતા અને સિક્યુરિટી પેટે મારા પિતાની જમીન તા.21-01-2015 ના રોજ જેતપુર સબ રજિસ્ટ્રાર ઓફિસેથી દસ્તાવેજ કરી આપેલ હતો.  રૂ. 40 લાખનું દર મહિને ત્રણ ટકા લેખે 1.20 લાખ એમ ચાર માસના રૂ. 4.80 લાખ વ્યાજ ભાવેશ ટીલાળાને આંગડિયા મારફત મોકલેલ હતા. બાદ ધંધામાં મંદી આવતા પાચમહિના સુધી વ્યાજ ભાવેશ ટીલાળાને આપેલ ન હતું. જેથી તેઓ પૈસાની ઉઘરાણી કરવા અમારા ગામ જેતલસર ખાતે ગયા હતા અને મારા પિતા પરસોત્તમભાઈ ભુવા પાસે વ્યાજની ઉઘરાણી કરી બેફામ ગાળો આપી હતી. જો તું કે તારો દીકરો વ્યાજ નહીં આપો તો બંનેને ખોઈ નાખવા પડશે તેમજ જમીનનો કબજો લઈ લેવાની ધમકી આપેલ હતી. . જ્યાં ભાવેશ, તેનો ભાઈ નિલેશ અને મગન ચોવટીયા હાજર હતા. આ ત્રણેય શખ્સોએ મને કહ્યું હતું કે તમે વ્યાજ સમયસર આપતા નથી એટલે વ્યાજ તથા પેનલ્ટી સહિત 15 લાખ મળી કુલ રકમ રૂ. 55 લાખ ચૂકવવાના થાય છે અને હવે ત્રણ ટકા વ્યાજની જગ્યાએ પાંચ ટકા વ્યાજ આપવાનું રહેશે. અમદાવાદ જતો રહેલ અને મારી જમીન કોઈ બીજાને વેચી નાખશે તેવી બીકના લીધે મેં રૂ.2.50 લાખની વ્યવસ્થા કરી ઓક્ટોબર 2015માં આંગડિયા મારફત ભાવેશ ટીલાળાને મોકલેલ હતા.
    વ્યાજ અને પેનલ્ટી મળી કુલ રૂ. 90 લાખની ઉઘરાણી કરી હતી. બાદ ભાવેશ, નિલેશ અને મગને મારી જાણ બહાર જેતપુરના નાથાભાઈ લાખાભાઈ માવાણીને સર્વે નંબર 297 પૈકી પાંચની હે.આર.ચો.મી.-00-90-04 ની ખેતીની જમીન ગત તા. 30-03-2016 માં વેચાણ દસ્તાવેજથી વેચી નાખેલ હતી વ્યાજખોરોએ આ જમીન નાથાભાઈ લાખાણી માવાણીને રૂ.67 લાખમાં વેચાણ કરેલ હતી. જે રૂપિયા ભાવેશએ લઈ લીધેલ હતા અને મારી પાસે વધુ રૂ. 22 લાખની ઉઘરાણી કરી હતી. જેથી મેં મારા મિત્ર વિઠ્ઠલભાઈ પીપળીયા (રહે કેશોદ)ને રૂપિયા 30 લાખ ગમે ત્યાંથી જમીન ઉપર કરી આપવા જણાવ્યું હતું. જેથી તેઓ રામભાઈ લખમણભાઇ કેશવાલા, મસરીભાઈ દેવશીભાઈ બારીયા અને મહેશભાઈ જોશીને લઈને જમીન જોવા આવેલ હતા. ત્રણે શખ્સોએ રૂ.30 લાખ ત્રણ ટકા વ્યાજે આપવાની વાત કરેલ હતી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, તે વખતે મસરીભાઈ બારીયા અને મહેશ જોષીએ કહેલ કે, અમે જે નામ આપીએ તે નામનો દસ્તાવેજ તમારે કરી આપવાનું રહેશે. ત્યારબાદ ત્રણેય શખ્સોએ 30 લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજે આપેલ હતા. નિલેશ અને ભાવેશે સર્વે નંબર 297 પૈકી ત્રણની હે.આર.ચો.મી.-00-37-43 ની જમીનનો નરેન્દ્રકુમાર ગોવિંદભાઈ બારીયા, રામભાઈ લખમણભાઇ કેશવાલા, દિનેશભાઈ રમણીકભાઈ મહેતાના નામનો તા.6 એપ્રિલ 2016 ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો. દસ્તાવેજ સમયે વાત થયેલ હતી કે વ્યાજે લીધેલ નાણા અને પર આપી ચૂકવી દઉં તો જમીનનો દસ્તાવેજ પરત કરી દેવાનો રહેશે તેવી મૌખિક શરત મૂકવામાં આવી હતી.
    Jetpur Jetpur nesw
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli વેપારીની જાણ બહાર યુવાને મોબાઇલમાંથી રૂા.5.21 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપીંડી ની ફરિયાદ

    November 18, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh ધોળા દિવસે ઓટો રીક્ષાની ચોરી

    November 18, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh 15 દિવસ પહેલા જ ભાવિ ભરથારનું મોત થતાં વાગદતાએ પણ જીવ દીધો

    November 18, 2025
    સૌરાષ્ટ્ર

    Vanthali ના બંટીયા ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

    November 18, 2025
    સૌરાષ્ટ્ર

    Keshod કરણી ગામે થ્રેસર ફેરવવા બાબતે ચાર શખ્સોનો હુમલો

    November 18, 2025
    સૌરાષ્ટ્ર

    Girgadha બે અલગ-અલગથી આદેશથી SIRની ફરજમાં રોકાયેલા શિક્ષકો હેરાન-પરેશાન

    November 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત વેચવાલી…!!

    November 18, 2025

    Rajkot હર્ષ સંઘવી મુલાકાતીઓને નિરાશ નહી કરે!

    November 18, 2025

    Rajkot માં બે ડિગ્રી પારો ગગડયો : અમરેલી – નલિયા પણ ઠંડુ

    November 18, 2025

    Rajinikanth-Kamal Haasan ની ફિલ્મનું દિગ્દર્શન ધનુષ કરે તેવી શક્યતા

    November 18, 2025

    Bollywood માં ફલોપ જતાં રાશા હવે તેલુગુ ફિલ્મ કરશે

    November 18, 2025

    Prabhas ની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશે

    November 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત વેચવાલી…!!

    November 18, 2025

    Rajkot હર્ષ સંઘવી મુલાકાતીઓને નિરાશ નહી કરે!

    November 18, 2025

    Rajkot માં બે ડિગ્રી પારો ગગડયો : અમરેલી – નલિયા પણ ઠંડુ

    November 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.