Morbi,તા.28
એસટી બસના ડ્રાઈવરે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
ખારચિયા ગામ નજીક એસટી બસ પાછળ અરટીગા કાર ઘુસી જતા આંધ્રપ્રદેશના વતની બે વ્યક્તિના મોત થયા હતા તેમજ અન્યને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે કારના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે Morbi તાલુકા પોલીસે એસટી બસના ચાલકની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે
જામનગરના રહેવાસી અને એસટી બસના ડ્રાઈવર દિલીપકુમાર દેવશંકર જોશીએ કાર જીજે ૩૯ ટી ૭૩૬૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૫ ના રોજ વડાપ્રધાનના પ્રોગ્રામ અર્થે માંડવી ખાતે જવાનું હોવાથી જામનગર એસટી ડેપોમાંથી બસ જીજે ૧૮ ઝેડ ૫૯૯૬ લઈને નીકળ્યો હતો અને સાંજે માંડવી પહોંચ્યો હતો તા. ૨૬ ના રોજ સવારના માંડવી ડેપોમાંથી સવારના ફરાદી પેસેન્જર લેવા ગયો હતો અને પેસેન્જર લઈને Bhuj પ્રોગ્રામ વાળી જગ્યાએ ઉતર્યા બાદ પ્રોગ્રામ પૂર્ણ થતા પેસેન્જરોને બેસાડી ફરાદી મુકવા ગયો હતો. Jamnagar જવા માટે રાત્રીના સાડા નવ દશેક વાગ્યે નીકળ્યા હતા અને વહેલી સવારના ચાર સાડા ચારના સુમારે કુદરતી હાજતે જવા ખારચિયા ગામના પાટિયા પાસે હોટેલના ગ્રાઉન્ડમાં બસ રોડ સાઈડમાં પાર્કિંગ કરી પાર્કિંગ લાઈટ ચાલુ રાખી હતી અને કુદરતી હાજત કરી બાદમાં બસમાં આવી ડ્રાઈવર સીટ પર બેસી રૂમાલ વડે હાથ લૂછતો હતો ત્યારે પાછળથી બસ સાથે કોઈ વાહન અથડાવવાનો જોરદાર અવાજ આવ્યો હતો.
અકસ્માતને કારણે બસ આગળ ધસી ગઈ હતી અને નીચે ઉતરીને જોતા બસ પાછળ અરટીગા કાર ઘુસી ગઈ હતી જે કારમાં ડ્રાઈવર બેભાન હાલતમાં હતા બાજુની સીટમાં બેસેલ માણસ બેભાન હાલતમાં જોવા મળ્યો હતો પાછળ સીટમાં ત્રણ માણસ હતા જેમાં બે અર્ધ બેભાન હાલતમાં અને એક વ્યક્તિ ભાનમાં હતો એક છોકરો પાછળની સીટમાં હતો જેને ઈજા પહોંચી ના હતી જે અકસ્માતમાં બસ પાછળનું બમ્પર વળી ગયું હતું અને પતરા અંદરની બાજુ વાળીને તૂટી ગયા હતા જેથી Jamnagar ડેપોમાંમાં જાણ કરી હતી જ્યાંથી Morbi ડેપોમાં જાણ કરતા ડેપો મેનેજર બનાવવાળી જગ્યાએ આવ્યા હતા કારમાં સવાર મુસાફરો દ્વારકા દર્શને જતા હતા જેમાં બે વ્યક્તિના મોત થયાનું જાણવા મળ્યું છે Morbi તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.