Patna,તા.24
બિહારમાં તાજેતરનાં દિવસોમાં તપાસનીશ પોલીસ જવાનોની હત્યા, કેન્દ્રીય મંત્રીના પરિવારમાં ફાયરીંગ જેવા ઘટનાક્રમ વચ્ચે વધુ એક ચોંકવનારો બનાવ બન્યો છે. સિવાનમાં બે લોકોની હત્યાથી ઉશ્કેરાયેલા લોકોએ તપાસ માટે પહોંચેલી પોલીસને દોડાવી-દોડાવીને માર માર્યો હતો.
સિવાનમાં વિશાલ યાદવ નામનાં યુવાનનું અપહરણ કરીને ગુંડાઓએ ગોળીબાર કરીને હત્યા કરી હતી. આ સિવાય પ્રમોદ યાદવની અન્ય એક બનાવમાં હત્યા થઈ હતી. એક જ રાતમાં હત્યાનાં બ બનાવતી લોકો ઉશ્કેરાયા હતા અને માર્ગો પર ચકકાજામ સર્જી દીધો હતો. હત્યા કરાયેલા બન્ને યુવાનોનાં મૃતદેહોને હત્યારાઓએ અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો.
મૃતદેહન, પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા ત્યારે તપાસ માટે પોલીસ પહોંચી હતી આ દરમ્યાન ઉશ્કેરાયેલા લોકોએ પોલીસને નિશાન બનાવી હતી અને દોડાવી-દોડાવીને માર મારતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
લોકોએ એવો આરોપ લગાવ્યો હતો કે હત્યાની માહીતી આપવા છતાં પોલીસે કોઈ કામગીરી કરી ન હતી. અપહરણની જાણ કરવા છતા પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી અને તે દરમ્યાન અપહરણકારોએ હત્યા કરીને તેની લાશ ફેંકી દીધી હતી.
હત્યાના બે બનાવ વચ્ચે માઘી ગામમાં પણ અપરાધીઓએ હોટેલ સંચાલક પર અંધાધુંધ ગોળીબાર કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.