Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું

    June 13, 2025

    Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ

    June 13, 2025

    Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું
    • Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ
    • Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા
    • Israeli attack માં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્‌સના ચીફ હુસૈન સલામીનું મોત
    • Trump અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર
    • Trump પ્રશાસને ૪ દેશોના પાંચ લાખ ઇમિગ્રન્ટ્‌સને અમેરિકા છોડવાનો આદેશ આપ્યો
    • Shanaya Kapoor નું નવું ગીત રિલીઝ, મિત્રો સુહાના ખાન અને અનન્યા પાંડેએ પ્રશંસા કરી
    • Diljit Dosanjh ની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ, આ મુદ્દો પાકિસ્તાન સાથે સંબંધિત છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»BJPના દિગ્ગજ નેતા અને પૂર્વ સ્પીકર રમણલાલ વોરા ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બન્યાનો આરોપ
    ગુજરાત

    BJPના દિગ્ગજ નેતા અને પૂર્વ સ્પીકર રમણલાલ વોરા ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બન્યાનો આરોપ

    Vikram RavalBy Vikram RavalOctober 11, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.11

    એક તરફ, ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સની મોટા ઉપાડે। વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારના માર્ગે ચાલી રહ્યાં છે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ એકથી વધુ વખત મંત્રી રહી ચૂકેલા ઈડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ ખોટા દસ્તાવેજો રજૂ કરી ખેડૂત બન્યાં છે. રમણ વોરાએ ખોટા દસ્તાવેજો આધારે ગાંધીનગર જીલ્લાના પાલેજ ખાતે ખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદી છે તેવા આક્ષેપ કરાયો છે.

    આ સમગ્ર પ્રકરણની તપાસ કરવા માટે મુખ્યમંત્રી સહિત ભાજપ પ્રદેશ પ્રમુખ, મહામંત્રી રત્નાકર ઉપરાંત વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ કરવામાં આવી છે. સાથે સાથે એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, જો સરકારી તંત્ર પગલાં નહી ભરે તો, ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.

    વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રમણ વોરાએ એફિડેવિટ રજૂ કરી હતી. જેમાં ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે સર્વે નંબર 261માં ચાર એકર ત્રેવીસ ગુંઠા ખેતીની જમીન દર્શાવી છે જે શંકાસ્પદ છે. આ એફિડેવિટમાં એ વાત પણ દર્શાવાઇ છેકે, આ મિલકત વારસામાં મળી નથી. જો વારસામાં મળી ન હોય તો પછી ખેતીની જમીન આવી ક્યાંથી એ સવાલ ઉઠ્યો છે.

    લેખિત ફરિયાદમાં આક્ષેપ કરાયો 2017માં ખેતીની જમીન પૂનમભાઈ કાળાભાઈ, હિતેશભાઈ કાંતિલાલ અને રમણભાઈ ઈશ્વરભાઈના નામે ધારણ કરાઈ છે. નવાઈની વાત એછેકે, આ જમીન દસ્તાવેજમાં અટક જ લખાયેલી નથી. ધારાસભ્યનું નામનુ નામ છે પણ વોરા અટક જ દર્શાવાઈ નથી. નવાઇની વાત તો છેકે, વર્ષ 2016માં બે જમીન માલિક પૂનમભાઈ અને હિતેશભાઈ! પોતાનો હક જતો કરે છે. આવુ કેવી રીતે શક્ય બને?

    આ ઉપરાંત અત્યાર સુધી આ જમીનના દસ્તાવેજમાં એકેય જમીનધારકની અટકનો ઉલ્લેખ ન હતો ત્યારે તા. 12 એપ્રિલ 2016ના રોજ દસ્તાવેજમાં કુસુમબેન રમણલાલ વોરા, સુહાગ રમણલાલ વોરા અને ભૂષણ રમણલાલ વોરા સીધી લીટીના વારસદાર બની જાય છે. આમ, વર્ષ 2016માં ખેતીની જમીનના દસ્તાવેજોમાં અટક જ ન હતી ત્યારે વર્ષ 2017 અચાનક જ ‘વોરા’ અટકનો ઉલ્લેખ સાથે ભાજપના ધારાસભ્યનો પરિવાર ખેડૂત બની ગયો. આ ઘટના ઉજાગર થાય તે પહેલાં રમણ વોરાએ તા. 14મી માર્ચ, 2024ના રોજ રૂા.5.42 કરોડમાં જમીન વેચી દીધી હતી.

    મહત્વની વાત તો એછે કે, રમણ વોરા ધારાસભ્યની વગના જોરે ખેડૂતના પુરાવાની પ્રમાણિક નકલો મળી ન શકે તે માટે ઘણાં જ ધમપછાડા કરી રહ્યાં છે. આ મામલે જાહેર માહીતી આયોગ, ગાંધીનગર સુધી આરટીઆઈ સુદ્ધાં કરવામાં આવી છે પણ હજુ જવાબ મળી શક્યો નથી. ખોટા દસ્તાવેજો આધારે ખેડૂત બનેલાં ધારાસભ્ય રમણ વોરાએ ઇડર તાલુકાના દાવડ ગામમાં પણ સર્વે નંબર- 548,549,581,551માં કુલ 8 હેક્ટર ખેતીની જમીન ખરીદી હોવાનો અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.

    ઇડર ધારાસભ્ય રમણ વોરાએ વર્ષ 1995, વર્ષ 1998 અને વર્ષ 2002માં ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ સાથે રજૂ કરેલાં એફિડેવિટમાં ખેતીની જમીનનો ઉલ્લેખ કર્યો છે કે કેમ? તેની પણ પ્રમાણિત માહિતી આપવામાં આવતી નથી. આ કારણોસર હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવા પણ તૈયારી કરવામાં આવી છે.

    આમ જનતા ગુનો કરે તો, સરકાર પગલાં લેતાં ખચકાતી નથી પણ હવે જયારે ખુદ પ્રજાના ચૂંટાયેલાં જનપ્રતિનિધી ખેતીલક્ષી લાભ મેળવવા ખોટા ખેડૂત બને તો પગલાં લેવાશે કે કેમ? તે મત વિસ્તારની જનતા સવાલ ઉઠાવી રહી છે.

    BJP BJP MLA Farmer Idar-MLA Ramanlal-Vora
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025
    રાજકોટ

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025
    અમદાવાદ

    રૂપાણી પરિવારને મળતા વડાપ્રધાન Modi: અંજલીબેનને સાંત્વના પાઠવી

    June 13, 2025
    અમદાવાદ

    દુર્ઘટનામાં જીવતો બચી ગયેલ યાત્રી વિશ્વાસકુમાર સાથે પણ Modi એ મુલાકાત કરી

    June 13, 2025
    અમદાવાદ

    PM મોદી અમદાવાદમાં : દુર્ઘટના સ્થળની મુલાકાત : ઘાયલોને મળ્યા

    June 13, 2025
    અમદાવાદ

    Ahmedabad: જો વિજય રૂપાણી વિસાવદર પ્રચારમાં ગયા હોત તો કદાચ આજે હયાત હોત!

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું

    June 13, 2025

    Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ

    June 13, 2025

    Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા

    June 13, 2025

    Israeli attack માં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્‌સના ચીફ હુસૈન સલામીનું મોત

    June 13, 2025

    Trump અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર

    June 13, 2025

    Trump પ્રશાસને ૪ દેશોના પાંચ લાખ ઇમિગ્રન્ટ્‌સને અમેરિકા છોડવાનો આદેશ આપ્યો

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું

    June 13, 2025

    Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ

    June 13, 2025

    Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.