આ અંગેની વિગત એવી છે કે, શહેરના તરસમિયા અને તખ્તેશ્વર ફિલ્ટર પર મહિપરીએજ દ્વારા રો-વોટર આપવામાં આવે છે, જેમાં આજે રવિવાર અને આવતીકાલે સોમવારે એમ બે દિવસ આશરે ૪૦થી ૪પ એમએલડી પાણની ઘટ આવવાની હોવાથી કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થશે નહીં અથવા અનિયમિત આપી આવશે.તેવી મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે જાહેરત કરી છે. અધિકારીના જણાવ્યાનુંસાર, મહિપરીએજમાંથી પાણીનો ઓછો જથ્થો મળતા આજે પ્રથમ દિવસે શહેરના સુભાષનગર, હાદાનગર, મિલેટ્રી સોસાયટી તેમજ આજુબાજુનો વિસ્તાર ઉપરાંત કાળિયાબીડ વિસ્તારમાં સાંજના પ થી ૮ કલાક દરમિયાન કરાતું પાણી વિતરણ થઈ શક્યુંન હતું. જો કે, અન્ય વિસ્તારોમાં પાણી થયું હતું. આવતીકાલે સોમવારે પણ જો પાણીનો જથ્થો ઓછો મળશે તો કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થઈ શકશે નહીં તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ વિગતો આપતાં ુઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પાણી કાપ રાખવાનો હોય તો મહાપાલિકા દ્વારા અગાઉ જાણ કરવામાં આવે છે, જેના કારણે લોકોને ખ્યાલ રહેતો હોય છે પરંતુ આજે શહેરીજનોને જાણ કર્યા વગર અચાનક જ પાણી કાપ રાખવામાં આવતા લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો.
Trending
- Nifty Futures ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ
- Jamnagar: ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું
- Jamnagar: પરણીતા પોતાની બે વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં દોડધામ
- Jamnagar: આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલ ભણી વળ્યા
- Jamjodhpur: ખેડૂત યુવાન માતા-પિતાની બીમારી જોઈ નહીં શકતા કુવામાં ઝંપલાવી આપઘાત
- Kalavad નો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચુંગાલમાં ફસાયો