Srinagar તા.5
પહેલગામ હુમલા બાદ ભારતીય એજન્સીઓ ત્રાસવાદીઓના મદદગારો પર તૂટી પડયુ છે ત્યારે જેલમાં હુમલો થવાના તથા કેદીઓને છોડાવવાનું કાવતરૂ રચાયાના ગુપ્તચર રિપોર્ટને પગલે જમ્મુમાં જેલની સુરક્ષામાં મોટો વધારો કરવામાં આવ્યો છે.
ગુપ્તચર રિપોર્ટ પ્રમાણે ત્રાસવાદીઓએ જમ્મુ-કાશ્મીરની જેલોને નિશાન બનાવીને કેદીઓને છોડાવવાનું ષડયંત્ર ઘડયુ છે. શ્રીનગરની સેન્ટ્રલ જેલ તથા જમ્મુની કોટ બલવાલ જેલ ટારગેટ પર હોવાનો નિર્દેશ છે.
આ ક્ષેત્રમાં હાલ ખુંખાર ત્રાસવાદીઓ તથા સ્લીપર સેલના સભ્યો કેદ છે. સ્લીપર સેલ દ્વારા ત્રાસવાદીઓને આશરો તથા પરિવહનની મદદ કરવામાં આવતી હોય છે. પહેલગામ સુરક્ષાની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ
ત્રાસવાદીઓના સહયોગી નિસાર તથા મુશ્તાકની પુછપરછ કરી હતી. તેઓ સૈન્ય વાહન પર હુમલાના કેસમાં પણ સંડોવાયેલા હતા. ગુપ્તચર રિપોર્ટને પગલે બન્ને જેલની સુરક્ષાની સમીક્ષા કરીને વધારાની સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.