પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના રાણિકા,જુના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ઇન્કમટેક્સ વિભાગમાં ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હરેશભાઈ પરસોતમભાઈ મેર ,તેમના પત્ની આરતીબેન ,દિકરી મનાલી ,દિકરો રૂષિન માતા સવિતાબેન ,મોટા બેન દેવુબેન નટુભાઈ ગોહેલ, રેખાબેન અરવિંદભાઈ ચુડાસમા, બેન ગીતાબેન જેન્તીભાઈ ડાભી, રેખાબેનના દીકરા મિતુલની દીકરી વિંજલબેન તેમના વિસ્તારમાં રહેતા ધનેશભાઈ રણછોડભાઈ ચુડાસમાની રીક્ષા નંબર જી.જે.૦૪ – ડબલ્યુ ૧૨૧૭ માં ચૈત્ર માસની અમાસ હોવાથી કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શને ગયા હતા. અને સાંજના સમયે ભાવનગર પરત ફરી રહ્યા હતા ત્યારે ભુંભલી ગામ નજીક આવેલ નાની સડક પાસે પાછળથી કાર નંબર જી.જે.૦૪ – સી.જે.૩૪૫૬ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રીક્ષા સાથે અથડાવી દેતારીક્ષા ખાળીયામાં પલટી ખાઈ ગઈ હતી.અકસ્માતની આ ઘટનામાં રીક્ષામાં બેઠેલા મુસાફરોને નાનીમોટી ઇજા થતા તમામને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માત હરેશભાઈના બહેન રેખાબેન અરવિંદભાઈ ચુડાસમા ( રહે.રાણીકા,ભાવનગર ) નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે હરેશભાઈએ ઘોઘા પોલીસ મથકમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
- ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
- Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
- આજ નું પંચાંગ
- આજનું રાશિફળ
- Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા