New Delhi, તા.૨૦
તાજેતરમાં, દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરાયેલા એક સોગંદનામામાં, દિલ્હીની તિહાડ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા ત્નદ્ભન્હ્લ(જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ)ના પ્રમુખ અને આતંકવાદી યાસીન મલિકે ઘણા ચોંકાવનારા દાવા કર્યા છે. ૨૫ ઑગસ્ટના રોજ દાખલ કરાયેલા આ સોગંદનામામાં, મલિકે રાજકીય, ધાર્મિક અને સુરક્ષા એજન્સીઓ સાથેના પોતાના સંબંધોની વિગતો આપી છે.
મલિકે કહ્યું છે કે, દેશના અનેક ભૂતપૂર્વ વડાપ્રધાનો, કેન્દ્રીય મંત્રીઓ, વિદેશી રાજદ્વારીઓ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ વર્ષો સુધી મારી સાથે વાતચીત કરી હતી. તેણે એવો પણ દાવો કર્યો કે બે જુદા જુદા મઠના શંકરાચાર્ય ઘણી વાર મારા શ્રીનગરના ઘરે આવ્યા હતા અને હું તેમની સાથે જાહેરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પણ જોવા મળ્યો હતો.
મલિકનો દાવો છે કે ૨૦૧૧માં તેણે દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(ઇજીજી)ના નેતાઓ સાથે લગભગ પાંચ કલાક લાંબી બેઠક કરી હતી. આ બેઠક સેન્ટર ફોર ડાયલોગ એન્ડ રિકોન્સિલિએશન નામના થિંક ટેન્કની મદદથી થઈ હતી. તેણે કહ્યું, એ વિચારવા જેવી વાત છે કે આટલા ગંભીર આરોપોવાળા વ્યક્તિથી અંતર રાખવાને બદલે, સમાજના પ્રભાવશાળી લોકો તેની સાથે ખુલ્લેઆમ વાતચીત કરતા રહ્યા. યાસીન મલિકે દાવો કર્યો છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા ૨૦૦૦-૦૧માં જાહેર થયેલા રમઝાન યુદ્ધવિરામમાં તેની મહત્ત્વની ભૂમિકા હતી. મલિકના સોગંદનામા મુજબ, દિલ્હીમાં તેની મુલાકાત અજિત ડોભાલ સાથે થઈ હતી, જેમણે તેને તત્કાલીન ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા શ્યામલ દત્તા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રા સાથે પરિચય કરાવ્યો.
મલિકનો દાવો છે કે, વાજપેયીના નજીકના આર. કે. મિશ્રાએ મને પોતાના ઘરે બોલાવીને બ્રજેશ મિશ્રા સાથે નાસ્તા પર મુલાકાત કરાવી. આ મુલાકાત બાદ, તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(ર્ઁદ્ભ)માં રહેલા ત્નદ્ભન્હ્લના નેતાઓ અને યુનાઇટેડ જેહાદ કાઉન્સિલના પ્રમુખ સૈયદ સલાઉદ્દીનનો સંપર્ક કર્યો. મલિકના પ્રયાસોના પરિણામે, હુર્રિયત નેતાઓ જેવા કે અલી શાહ ગિલાની, મીરવાઇઝ ઉમર ફારૂક અને અબ્દુલ ગની લોને યુદ્ધવિરામના સમર્થનમાં એક સંયુક્ત નિવેદન આપ્યું હતું.
યાસીન મલિકે એ પણ કહ્યું કે, વાજપેયી અને તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી તેના પ્રયાસોના પક્ષમાં હતા અને આ દરમિયાન તેને પહેલીવાર પાસપોર્ટ મળ્યો. ૨૦૦૧માં જારી થયેલા આ પાસપોર્ટથી તે અમેરિકા, બ્રિટન, સાઉદી અરબ અને પાકિસ્તાન ગયો અને ત્યાં કાશ્મીર મુદ્દા પર વાતચીતના નામે અહિંસક લોકતાંત્રિક સંઘર્ષની હિમાયત કરી.