Bhavnagar,તા.09
વલ્લભીપુરના મૂળધરાઈથી રોહીશાળા રોડ પર મૂળધરાઈ નજીક બોલેરો પીકઅપ અને બાઈક અથડાતાં વલભીપુરના યુવાનનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના પાટીવાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ઘુડાભાઈ મકવાણા (ઉ.વ.૨૫),ધર્મેશભાઈ નારણભાઈ મકવાણા અને જયદીપભાઈ ડાભી બે અલગ-અલગ મોટરસાયકલ લઈને સાળંગપુર હનુમાનજી મદિરે દર્શનાર્થે ગયા હતા.ત્યારે મૂળધરાઈથી રોહીશાળા રોડ પર મૂળધરાઈ નજીક બોલેરો પીકઅપ નંબર જીજે.૦૩.બીટી.૬૦૧૬ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી અશોકભાઈની બાઈક સાથે અથડાવ્યું હતું. જેના કારણે તેમનેગંભીર ઈજા થતાં સારવાર અર્થે ભાવનગરની સર ટી.હોસ્પિટલખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના ભાઈ ટીસુભાઈએ બોલેરો પીકઅપના ચાલક વિરૂદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે