ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે રહેતા અને જમવાની લાજ ચલાવતા પિયુષભાઈ મંગાભાઈ કંટારીયા અને તેમના પત્ની મધુબેન પુત્રી પરિતાબેન ગઈકાલે રાત્રિના ૧૧.૦૦ વાગ્યાના સમયે ભૂતેશ્વર ગામની બસ સ્ટેન્ડ પાસે આવેલ બિચ્છુ નામની નોનવેજ લાજ પર હાજર હતા. તે દરમિયાન સુનિલ ઘેલાભાઈ કંટારીયા અને તેનો મિત્ર હાદક બટુકભાઈ કંટારીયા (રહે. બન્ને ભૂતેશ્વર, તા.ઘોઘા) જમવા માટે આવ્યા હતા. તેવામાં બન્ને ઇસમને પિયુષભાઈ સાથે બોલા ચાલી થઈ જતાં બન્ને ઈસમોએ પિયુષભાઈને ગાળો આપવા લાગ્યા હતા. પિયુષભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા બન્ને ઈસમે પિયુષભાઈ અને પત્ની મધુબેન તથા પુત્રી પરિતાબેને પર છરા અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ઇજાગ્રસ્ત પતિ પત્ની સહિત ત્રણેયને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પિયુષભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકની પુત્રી પરિતાબેને બે ઇસમ વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- Wankaner રેલ્વે બ્રીજ પાસેથી ક્રેટા કારમાંથી ૬૭૫ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત
- Morbi: ધોધમાર સવા બે ઇંચ વરસાદ, હળવદમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો
- ટ્રેડીંગના નામે મહિલાએ રોકાણકારોને રૂપિયા 2.20 કરોડનો ચુનો લગાવ્યો
- નરોડામાં સરકારી રાહતના 12 હજાર કિલો ઘંઉનો જથ્થો ભરેલી ટ્રક જપ્ત કરાઇ
- Kutch ના અંજારમાં મહિલા ASIનું બોયફ્રેન્ડે ગળુ દબાવી હત્યા કરી
- ‘કલ્પેશ સર પાછા જોઇએ છે..’સુરતમાં આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓ-વાલીઓનો ચક્કાજામ
- ‘Sayyaraa’ ફિલ્મની પહેલા જ દિવસે ડબલ ડિજિટમાં કમાણી
- Surat; ખાડી પૂર અટકાવવા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની વધુ એક બેઠક