Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025

    Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો
    • Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
    • Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો
    • Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન
    • હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે
    • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે
    • Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર
    • TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»સતાધાર મહંતના વિવાદમાં મહેશગિરિની એન્ટ્રી,કહ્યું- સંતો આગળ આવે,નહીં તો લૂંટારાઓ ફાવી જશે
    સૌરાષ્ટ્ર

    સતાધાર મહંતના વિવાદમાં મહેશગિરિની એન્ટ્રી,કહ્યું- સંતો આગળ આવે,નહીં તો લૂંટારાઓ ફાવી જશે

    Vikram RavalBy Vikram RavalDecember 14, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ધર્મસ્થાનને આવી રીતે નુકસાન ન કરશોઃ ભક્તિરામ બાપુ

    Junagadh તા.૧૪

    સતાધારના મહંત વિજયબાપુ પર તેના જ સગા મોટાભાઈ નીતિન ચાવડા દ્વારા વ્યભિચાર અને ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. નીતિન ચાવડાએ સતાધારના મહંત વિજયબાપુને ગીતા નામની મહિલા સાથે પ્રેમસંબંધ છે અને કરોડો રૂપિયાના સતાધારમાં ગોટાળા થતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. એ વિવાદમાં હવે જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મહંત મહેશગિરિએ એન્ટ્રી કરી છે. તેઓ સાધુ-સંતો સાથે વિજયબાપુના સમર્થનમાં સતાધાર પહોંચ્યા હતા. મહેશગિરિએ જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ ટુકડીઓ સનાતનની જગ્યાને ટાર્ગૅટ કરે છે, સંતો આગળ આવે, નહીં તો લૂંટારાઓ ફાવી જશે’.

    જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મહંત મહેશગિરિબાપુએ જણાવ્યું હતું કે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ મામલે વિજયબાપુ સાથે મળી બધી વાતચીત કરી છે અને તેમને આજે અમે અહીં ભરોસો આપવા આવ્યાં છીએ કે સૌ સાધુ-સંતો તમારી સાથે છે. આ સતની જગ્યા છે, જ્યાં સતાધારમાં વિજયબાપુ સેવા કરી રહ્યા છે. સનાતનના સૌ સાધુ-સંતો, મહાત્માઓ વિજયબાપુની સાથે છે, અમે અહીં વિજયબાપુને એ વાત કહેવા આવ્યા છીએ કે સૌ સાધુ-સંતો તમારી સાથે છે. વાતો થાય છે કે કોઈ સાધુ-સંતો અહીં આવતા નથી ને વિજયબાપુ સાથે નથી તો, એનો જવાબ આનાથી જ મળે કે આજે અમે સાધુ-સંતો સતાધારમાં છીએ.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંત સમાજને એક વાત કહેવી છે કે ગુજરાત અને ભારતમાં અખિલ ભારતીય સંત સમિતિ, અખિલ ભારતીય સાધુ સમાજ અને અખિલ ભારતીય સનાતન સંરક્ષક સમિતિ છે. આ બધી સમિતિઓના સંતો, જેમાં મુક્તાનંદબાપુ ચાપરડા, શેરનાથબાપુ ગૌરક્ષના આશ્રમ જૂનાગઢ, સંત સમિતિમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી અને ભારતના અધ્યક્ષ સતકેવલદાસજી મહારાજ છે, રાજેન્દ્ર દાસજી આ સમિતિમાં અધ્યક્ષસ્થાને છે. ત્યારે આ સંતોને ખાસ કહેવું છે કે સૌથી પહેલા ભારતીય આશ્રમની વાત આવી. ત્યાર બાદ મહેશગિરિબાપુની વાત આવી, હાલ સતાધારની વાત આવી છે. આ કોઈ ચોક્કસ ટુકડીઓ દ્વારા સનાતનની જગ્યાઓને એક પછી એક ટાર્ગૅટ કરવામાં આવી રહી છે. આ બધા સંતો જેને ફાઉન્ડેશન બનાવ્યા છે, જેમાં અમે સૌ સાધુ-સંતો પણ મેમ્બર છીએ. ત્યારે આ સંગઠનોના સાધુ-સંતો ચૂપ કેમ છે, સામે કેમ નથી આવતા? એક વાત યાદ રાખવી પડશે કે બધા સાધુ-સંતોએ કે આજે અહીં વારો આવ્યો, કાલે તમારે ત્યાં પણ ટકોરા વાગશે એટલું યાદ રાખજો. સંત સમાજ જો હવે આગળ નહીં આવે તો આ લૂંટારાઓ બધા ફાવી જશે. તેના લીધે સનાતનને નુકસાન થશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું એક વાત ચોક્કસ કહીશ કે બધા જ સાધુ-સંતોએ અને વિજયદાસબાપુને તો ખાસ કહીશ કે તમે એક ધર્મસભા બોલાવો, જેમાં સૌ સાધુ-સંતો આવશે અને તમે ત્યાં બધી સાચી વાત મૂકશો તો એનાથી બધા સમાજને ખબર પડશે કે શું ચાલી રહ્યું છે અને શું નથી. કદાચ ભૂલ હોય કોઈને તો મેં કહ્યું એમ માફ કરવાનું હોય અથવા તો માફી માગવાની, પાપ કર્યું હોય તો પ્રાયશ્ચિત કરવાનું હોય અને ગુનો કર્યો હોય તો તેની સજા હોય. આમાં સત્ય શું છે એ બહાર આવશે તો એનાથી બધાને સત્યની ખબર પડશે અને બધા ઉઘાડા પડશે.

    મહેશગિરિએ જણાવ્યું હતું કે ઘણીવાર એવું હોય કે પિક્ચર જે ચાલી રહ્યું હોય તો એનો ડિરેક્ટર તો બીજી જગ્યાએ બેઠો હોય, તે ત્યાંથી પિક્ચર ચલાવતો હોય, એના લીધે આ સનાતનની જગ્યાઓ બધી ટાર્ગૅટ થતી હોય છે. ત્યારે સરકારને ખાસ અપીલ કરું છું કે આ બધી ચંડાલ ચોકડીઓ જામી ગઈ છે સનાતનની જગ્યાને ટાર્ગૅટ કરવા માટે, એની તપાસ થવી જોઈએ.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે સૌ સાધુ-સંતો એક જ વાત કરીએ છીએ કે વિજયદાસબાપુ સાચા છે, અમે સૌ સાધુ-સંતો તેમની સાથે છીએ. કદાચ તેમનો દોષ હોય એવું પણ હોય તો અમે પણ કહીશું કે બાપુ આ શું છે ? પરંતુ વિજયબાપુ ધર્મ સભા બોલાવશે તો સાચું ખબર પડશે. આજે સતાધારમાં અમે સૌ સાધુ-સંતો વિજયબાપુની સાથે છીએ એ ભરોસો અપાવવા માટે આજે અહીં આવ્યા છીએ. સંત સમિતિ, અખિલ ભારતીય સંત સમિતિ, ભારત સાધુ સમાજ છે, એ બધા સંતોએ હવે ચૂપ ન રહેવુ જોઈએ, બધાએ આવવુ જોઈએ, બોલવુ જોઈએ. જો નહીં બોલો તો સમાજને ખબર નહીં પડે કે કોણ પાપી છે અને કોણ અધર્મી છે? કેવી રીતે ખબર પજે કે સનાતનમાં સાચા લોકો છે તે જ પીડાઈ રહ્યા છે.

    બીજી તરફ આ સમગ્ર મામલે હવે સાવરકુંડલા હાથસણી રોડ ઉપર આવેલા માનવ મંદિર આશ્રમના મહંત ભક્તિરામબાપુએ પણ પ્રતિક્રિયા આપી છે અને વિવાદ શાંત પાડવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે.માનવ મંદિરના મહંત ભક્તિરામબાપુએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ બહુ થઈ રહ્યું છે, તે ખૂબ જ પીડાજનક છે સતાધાર એટલે આપણી શ્રધ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા સિદ્ધ જગ્યા છે. તેના માટે વગર વિચારે પ્રુફ વગર કઈ બોલવું કે કઈ વાતો કરવી વ્યાજબી નથી. સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે મારે એટલું જ બધાને કહેવાનું છે કે, જેની પાસે કોઈને વાંધો હોય કોઈ પ્રુફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ.વધુમાં જણાવ્યું કે, સતાધાર વિશે કઈ બોલવું તે આપણા સનાતન ધર્મ માટે વ્યાજબી નથી. જો કોઈને પર્સનલ વાંધો હોય અને પર્સનલ કઈ પ્રુફ હોય તો એણે પર્સનલી રીતે મળી લેવું જોઈએ. આવી રીતે જગ્યાને સરેઆમ બદનામ કરવી તે સનાતન ધર્મને નુકસાન કરે છે, એટલે મહેરબાની કરીને સતાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં મનફાવે તેમ વાતું કરી રહ્યા છો, તે બંધ કરજો. હું આપને બધાને પ્રાર્થના સાથે કવ છું, જો પ્રુફ હોય તો પર્સનલી સમજી લ્યો બાકી ધર્મસ્થાનને આવી રીતે નુકસાન કરશો તો આપડા સનાતન ધર્મને નુકસાન જશે.

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025

    Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો

    June 18, 2025

    Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન

    June 18, 2025

    હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે

    June 18, 2025

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025

    Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.