New Delhi, તા.૨૨
અમેરિકા પછી હવે બ્રિટનમાં પણ વિદેશી નાગરિકો અને ખાસ કરીને ભારતીયોમાં એક અવળો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક તરફ ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા અને બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા પર જવાનું પ્રમાણ ઓછું કર્યું છે, તો બીજી તરફ માત્ર એક જ વર્ષમાં ૭૫ હજાર ભારતીયોએ બ્રિટન છોડી દીધું છે. બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, સરકારની આકરી વિઝા નીતિના કારણે દેશ છોડનારા વિદેશીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.સરકારી રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૧,૭૦,૦૦૦ વિદેશી નાગરિકોએ બ્રિટન છોડવાનું પસંદ કર્યું હતું, જેમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. એક જ વર્ષના ગાળામાં સ્ટુડન્ટ વિઝા પર યુકે આવેલા ૫૧,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓએ બ્રિટન છોડીને સ્વદેશ પરત ફરવાનું કે અન્ય દેશમાં જવાનું મુનાસિબ માન્યું હતું.રોજગાર (વર્ક વિઝા) માટે ગયેલા ભારતીયોમાંથી ૨૧,૦૦૦ લોકોએ બ્રિટનને અલવિદા કહી દીધું છે. આ સિવાય જુદા જુદા કારણોસર યુકેમાં સ્થાયી થયેલા અન્ય ૩,૦૦૦ ભારતીયો મળીને કુલ ૭૫,૦૦૦ લોકોએ બ્રિટન છોડી દીધું છે. બ્રિટન છોડવાની આ યાદીમાં ભારત પછી ૪૬ હજાર નાગરિડકો સાથે ચીન બીજા ક્રમે, જ્યારે ૧૯ હજાર નાગરિકો સાથે પાકિસ્તાન અને નાઈજીરિયા ત્રીજા ક્રમે છે.સરકારી આંકડાઓમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ એ પણ થયો છે કે, છેલ્લાં વર્ષોમાં વર્ક રિલેટેડ (કામકાજ આધારિત) વિઝા પર બ્રિટન આવતા ભારતીયોની સંખ્યામાં ૪૭ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૧માં કોવિડ મહામારી બાદ બ્રિટને નવી અને આકરી વિઝા પોલિસી લાગુ કરી હતી. તે પછી બ્રિટનમાં સતત વડાપ્રધાનો બદલાતા રહ્યા અને તેમની સાથે પૉલિસીમાં પણ સતત ફેરફારો થતા રહ્યા, જેની સીધી નકારાત્મક અસર વિદેશી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ પર પડી છે.આ મુદ્દે વર્તમાન લેબર પાર્ટીની સરકારના ગૃહમંત્રી શબાના મહેમૂદે બચાવ કરતા જણાવ્યું હતું કે, આ આંકડો અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારના સમયનો છે અને તેના કરતા ઘણો ઓછો છે. કન્ઝર્વેટિવ સરકારો વખતે ૯.૪૪ લાખ વિદેશી નાગરિકોએ દેશ છોડ્યો હતો.નવી વિઝા પોલિસીની આકરી અસરો વચ્ચે પણ બ્રિટન દ્વારા સ્કેલ્ડ વર્કર્સ અને હેલ્થ કેર સેક્ટરમાં ભારતીયોને આકર્ષવાના પ્રયાસો ચાલુ રખાયા છે. આ વિઝા કેટેગરી હેઠળ બ્રિટને ૧.૦૭ લાખ ભારતીયોને આવકાર્યા છે, જ્યારે ૮૬ હજાર સાથે નાઈજીરિયા બીજા ક્રમે છે. સ્કેલ્ડ બેઝ્ડ વિઝા મેળવવામાં પણ ભારતીયો દુનિયામાં પહેલા ક્રમે છે. બ્રિટને એક જ વર્ષમાં ૮૯,૮૫૧ ભારતીયોને આ વિઝા આપ્યા છે, જ્યારે ૧૬,૬૦૭ નાગરિકો સાથે પાકિસ્તાન બીજા ક્રમે છે.ગ્રેજ્યુએશન આધારિત આપવામાં આવતા વિઝામાં ૭૦ હજાર ભારતીયોનો સમાવેશ થાય છે અને ગ્રાન્ટેડ સ્પોન્સર્ડ વિઝા મેળવવામાં પણ ભારતીય નાગરિકો સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે.
Trending
- Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી
- બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!
- વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી
- RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે
- હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei
- વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના
- Everest શિખર પરથી ઉતરતી વખતે બે ભારતીયોના મોત
- CM Dhami એ પણ રસ્તાઓ પર નમાઝ પઢવા અંગે નિવેદન બહાર પાડ્યું

