ભારતમાં ડાયાબિટીસનું નિદાન કરવા માટે વર્ષોથી HbA1c ટેસ્ટને સૌથી વિશ્વસનીય માપદંડ મનાય છે. પરંતુ તાજેતરમાં મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ: સાઉથ ઈસ્ટ એશિયા’માં પ્રકાશિત એક વૈજ્ઞાનિક અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું છે કે ભારતીય વસ્તીના મોટા હિસ્સામાં આ ટેસ્ટ હંમેશાં સચોટ પરિણામ આપતો નથી. એનિમિયા, વારસાગત રક્ત વિકારો અને કેટલાક એન્ઝાઇમની ઉણપ જેવી સામાન્ય આરોગ્ય સમસ્યાઓને કારણે HbA1cના પરિણામો ભ્રામક હોઈ શકે છે. આ સ્થિતિમાં કેટલાક દર્દીઓમાં ડાયાબિટીસનું નિદાન મોડું અથવા ખોટું થઈ શકે છે.HbA1c (હિમોગ્લોબિન A1c) એટલે ‘ગ્લાયકેટેડ હિમોગ્લોબિન ટેસ્ટ’ લોહીમાં છેલ્લા 2–3 મહિનાના સરેરાશ ગ્લુકોઝ લેવલનો અંદાજ આપે છે. રક્તકણોમાં રહેલા હિમોગ્લોબિન સાથે કેટલું ગ્લુકોઝ જોડાય છે, તે માપીને આ પરીક્ષણ કરાય છે. ઉપવાસ કરવાની જરૂર ન હોવાથી અને લાંબા ગાળાની માહિતી મળતી હોવાથી આ ટેસ્ટ વૈશ્વિક સ્તરે ડાયાબિટીસ નિદાન માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
Trending
- ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.
- લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?
- હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર
- 17 એપ્રિલ નું પંચાંગ
- 17 એપ્રિલ નું રાશિફળ
- Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન
- તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
- મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ

