Lucknow, તા. 7
ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરમાં અચાનક જ ધુમાડા નીકળવા લાગતા તેમને લખનૌ વિમાની મથક ઇમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. મૌર્ય કોશાંબી જઇ રહ્યા હતા અને આજે સવારે તેઓ લખનૌ વિમાની મથકેથી રવાના થયા પરંતુ તેમનું હેલિકોપ્ટર રવાના થયા બાદ થોડી વારમાં જ તેમાં ધુમાડા નીકળવા લાગતા કટોકટી સર્જાઇ હતી.
તુર્ત જ લખનૌ વિમાની મથકે જાણ કરવામાં આવી હતી જેના પગલે એરપોર્ટ પર ઇમરજન્સી વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. જોકે કોઇપણ દુર્ઘટના વગર જ હેલિકોપ્ટરે લખનૌ વિમાની મથકે સલામત લેન્ડીંગ કર્યુ હતું.
બાદમાં નાયબ મુખ્યમંત્રી સડક માર્ગે કૌશાંબી જવા રવાના થયા હતા. ઉતરપ્રદેશ સરકારે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. સુત્રોના જણાવ્્યા મુજબ હેલિકોપ્ટરની સલામતી ચકાસવામાં આવી હતી અને સબ સલામત પછી નાયબ મુખ્યમંત્રીને પ્રવાસની મંજૂરી અપાઇ હતી.

