હવે આ બહાદુર જવાનોના નામ નેશનલ વોર મેમોરિયલમાં ખાસ ગ્રેનાઇટની ઈંટો પર કાયમી રીતે અંકિત કરવામાં આવશે
New Delhi, તા.૨૬
ભારત સરકારે ઓપરેશન સિંદૂરમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનોના નામ જાહેર કર્યા છે. હવે આ વીર સૈનિકોના નામ દિલ્હીમાં ઇન્ડિયા ગેટ નજીક આવેલા નેશનલ વોર મેમોરિયલમાં અંકિત કરવામાં આવશે.
સરકારે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ૬ જવાનોના નામ જાહેર કર્યા છે. આ જવાનોએ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ૬ અને ૭ મે, ૨૦૨૫ની મધરાતે પાકિસ્તાન અને ર્ઁંદ્ભમાં આવેલા ૯ આતંકવાદી ઠેકાણાઓ પર ચલાવવામાં આવેલા ઐતિહાસિક અને ગુપ્ત સૈન્ય અભિયાન દરમિયાન શહીદી વહોરી હતી.
માહિતી અનુસાર, ભારત સરકારે પ્રથમ વખત ઓપરેશન સિંદૂરમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ૬ વીર જવાનોના નામ જાહેર કર્યા છે. આ તમામ શહીદોને દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં તેમના નામ ખાસ ગ્રેનાઇટની ઈંટો પર કાયમી રીતે અંકિત કરવામાં આવશે. અહીં આવતા લોકો તેમની શૌર્યગાથા વિશે જાણી શકશે.
તમને જણાવી દઈએ કે, આ ૬ શહીદોમાં ભારતીય સેનાના ૫ જવાનો અને ભારતીય વાયુસેનાના ૧ સાર્જન્ટનો સમાવેશ થાય છે. રાઇફલમેન સુનીલ કુમારને મરણોત્તર વીર ચક્ર અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને વાયુ પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, મોટાભાગના જવાનો જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા.
આ રહ્યા ૬ શહીદ જવાનોના નામ
– મેજર પવન કુમાર, મુખ્યાલય ૧૦ ઇન્ફન્ટ્રી બ્રિગેડના સુબેદાર
– સુનીલ કુમાર, જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની ૪થી બટાલિયનના રાઇફલમેન
– નાયક દિનેશ કુમાર, ૫ ફીલ્ડ રેજિમેન્ટના લાન્સ
– મૂડ મુરલી નાયક, ૮૫૧ લાઇટ રેજિમેન્ટના અગ્નિવીર
– સુનીલ કુમાર સિંહ, ૨૩૭ ફીલ્ડ વર્કશોપના હવાલદાર
– સુરેન્દ્ર કુમાર, ભારતીય વાયુસેનાની ૩૯ વિંગના સાર્જન્ટ
તમને જણાવી દઈએ કે, ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ એપ્રિલ-મે ૨૦૨૫ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના જવાબમાં હાથ ધર્યું હતું. આ હુમલામાં અનેક નિર્દોષ ભારતીય નાગરિકોના જીવ ગયા હતા અને અનેક મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા હતા. પીડિત મહિલાઓના દુઃખ અને આતંકવાદ સામેના જવાબના પ્રતિક તરીકે આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું.
ભારતીય સેનાએ આ ઓપરેશન દરમિયાન અસાધારણ બહાદુરી અને શૌર્યનું પ્રદર્શન કરીને દેશના આક્રોશનો મજબૂત જવાબ આપ્યો હતો.

