Lucknow,તા.24
ઉત્તરપ્રદેશ સતર્કતા અધિષ્ઠાત (વિજીલન્સ)ની લખનૌ અને મેરઠ ટીમના દરોડામાં રાજકીય નિર્માણ નિગમના પૂર્વ અપર પરિયોજના પ્રબંધક રાજવીરસિંહની 100 કરોડથી વધુ સંપતિ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પહેલા દિવસે લગભગ 50 કરોડ રૂપિયાની સંપતિ મળ્યાનો ખુલાસો વિજીલન્સે કર્યો હતો. મંગળવારે મોડી રાત સુધી કાર્યવાહી દરમિયાન ત્રણ કંપનીઓની માહિતી મળી છે. આ સાથે જ ગાઝીયાબાદમાં કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજ મળ્યા છે.
ખેતીલાયક આ જમીન રાજવીર અને તેની પત્નીના નામે છે. આ સાથે જ અનેક બેન્ક ખાતા અને શેર, મ્યુચ્યુઅલ ફંડની પુરી વિગતો પણ મળી છે. આ સંપતિ અબજો રૂપિયાથી વધુની છે.
અલીગઢમાં આઠ પ્લોટોની રજીસ્ટ્રી મળી: રાજવીરસિંહના ઘરથી ગાઝીયાબાદમાં બે એકર ખેતી લાયક જમીન ઉપરાંત અલીગઢના આઠ પ્લોટોનું રજીસ્ટ્રેશન પણ મળ્યું છે. જેની કિંમત અંકાઈ રહી છે. આ ઉપરાંત નોઈડામાં 16-16 રૂમની 200-200 વર્ગમીટરની બે હોસ્ટેલ પણ મળી છે. જેનું રજિસ્ટ્રેશન રાજવીરસિંહ અને તેની પત્નીના નામે છે.