સ્વસ્થ્ય જીવન એ મનુષ્યની સૌથી મોટી ઇચ્છાઓમાંની એક ઇચ્છા છે અને આપણે સ્વસ્થ્ય જીવન જીવવા માટે શક્ય એટલું બધું જ કરવા ઇચ્છીએ છીએ. જો કે, આરોગ્ય વિરોધી વસ્તુઓના વધતા જતા આ યુગમાં આપણે અગણીત લોકો અને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓનો પણ વાસ્તવિક સામનો કરી રહ્યા છીએ. આ જીવલેણ રોગ વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે, જેમાં સ્ત્રીઓ પણ મહદઅંશે અસરગ્રસ્ત છે. સ્ત્રીઓમાં અંડાશય, સ્તન, સર્વાઇકલ, ફેફસા અને એન્ડોમેટ્રાયલ કેન્સર સહિતના અનેક પ્રકારના કેન્સર અને તેનાથી આ સ્ત્રીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર થઈ શકે છે. આના લીધે જીવનધોરણ પર નકારાત્મક અસર થાય છે. સ્તન કેન્સર એ સ્ત્રીઓને અસર કરતું સૌથી પ્રચલિત અને જીવલેણ કેન્સર છે.
સ્તન કેન્સર શું છે?
સ્તન કેન્સર એ વિશ્વભરની મહિલાઓને અસર કરતા સૌથી મોટા દૂષણોમાંનું એક છે, જે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓમાં સૌથી નોંધનિય છે. જ્યારે સ્તનના કોષ અનિશ્ચિત રીતે વિકસીત થાય છે અને તેના લીધે ટ્યુમર કે ગાંઠ બની જાય છે ત્યારે તે થવાની શક્યતા વધી જાય છે. આ કેન્સર પુરુષો અને મહિલા બંનેને અસર કરે છે, પરંતુ સામાન્ય રીતે સ્ત્રીઓમાં તે વધુ જોવા મળે છે, ઊંમર, આનુવંશિક્તા, જીવનધોરણ અને પર્યાવરણીય એક્સપોઝર આ બધામાં વધુ મોટો ભાગ ભજવે છે.
કેટલાક રસાયણો એવા છે કે, જેના નિયમિત સંપર્કમાં આવવાથી એટલે કે, સામાન્ય રીતે ઘરગથ્થુ વસ્તુઓ, ખાદ્યપદાર્થો અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના ઉત્પાદનોમાં જે રસાયણો જોવા મળે છે તેનાથી સ્તન કેન્સર થવાનું જોખમ વધી જાય છે.આ કેમિકલને સમજી અને તેના મર્યાદિત વપરાશથી કોઈના પણ સ્વાસ્થ્યને સારું રાખવાના મહત્વપૂર્ણ પગલા લઈ શકાય છે.
સ્તન કેન્સર સાથે જોડાયેલું સામાન્ય પર્યાવરણીય ઝેર શું છે?
- એન્ડોક્રિન- ડીસ્રપ્ટિંગ કેમિકલ્સ (ઇડીસીસ): શરીરની હોર્મોનલ સિસ્ટમ, જે ચયાપચયની ક્રિયા, વૃદ્ધિ અને પ્રજનનને નિયંત્રિત કરે છે, તે ઇડીસીસથી અસ્વસ્થ્ય થાય છે. કેટલાક ઇડીસીસ એસ્ટ્રોજનની નકલ ઉભી કરે છે, આ એક એવું હોર્મોન છે, જે વધુ પ્રમાણમાં હોય તો, ચોક્કસ પ્રકારના સ્તન કેન્સરની રચનાને પ્રોત્સાહિત કરે છે. આ જંતુનાશક, પર્સનલ કેર પ્રોડક્ટ્સ (પેરાબિન્સ, ફ્થેલેટ્સ) અને પ્લાસ્ટિક (બીપીએ) જેવા સામાન્ય ઉત્પાદનોમાં પણ મળી શકે છે.
- જંતુનાશક: સ્તન કેન્સર અને જંતુનાશકો, ખાસ કરીને ઓર્ગેનોક્લોરિન્સ સંબંધિત હોઈ શકે છે. આ પદાર્થ એડિપોઝ ટીશ્યુમાં બને છે અને હોર્મોન નિયમન પર અસર કરીને કેન્સરનું જોખમ વધારી શકે છે.
- પોલીક્લોરિનેટેડ બાયફેનીલ્સ (પીસીબીસ): ઘણા દેશોમાં પ્રતિબંધિત હોવા છતા પણ, પીસીબીસ હજુ પણ પર્યાવરણમાં હાજર છે અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ઔદ્યોગિક સંયોજનોનો ઉપયોગ વિદ્યુત ઉપકરણો સહિત અન્ય ઘણી વસ્તુઓમાં થાય છે. પીસીબી કેન્સર સાથે અને ખાસ કરીને સ્તન કેન્સરની સાથે જોડાયેલું છે અને શરીરમાં તે બનવા માટે જાણીતું છે. આ રસાયણિક સંયોજનો જૂની ઇમારતો અને અમુક પ્રકારના સીફૂડ્સમાં વારંવાર જોવા મળે છે, તેનાથી પાણીનો પૂરવઠો દૂષિત થઈ શકે છે.
- કોસ્મેટિક અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ: ફ્થેલેટ્સ અને પેરાબિન્સ જેવા કેમિકલ એ અરોમા સ્ટેબિલાઈઝર્સ અને પ્રિઝર્વેટિવ્સ તરીકે કામ કરે છે અને ઘણા બધા સ્વચ્છતા અને કોસ્મેટિક વસ્તુઓમાં તેનો ઉપયોગ થાય છે. એક અભ્યાસ અનુસાર, આ પદાર્થોના લાંબા સમયના સંપર્કથી એસ્ટ્રોજનના સ્તરમાં ખલેલ પહોંચે છે, જેનાથી સ્તન કેન્સર થવાનું જોખમ વધી જાય છે. ઘણા તબિબિ નિષ્ણાંતો એવી વસ્તુનો ઉપયોગ કરવાની સલાહ આપે છે, જે ‘ફેથેલ્ટ- ફ્રી અને ‘પેરાબિન-ફ્રી’ તરીકે બજારમાં હોય.
આ ઝેરી રસાયણોથી સલામત કઈ રીતે રહી શકાય?
સ્તન કેન્સરનું જોખમ વધારી શકે તેવા પર્યાવરણીય ઝેરના તમારા સંપર્કને ઘટાડવા માટે તમે ઘણા પગલાં લઈ શકો છો. આ જોખમને ઘટાડવા માટે કાર્બનિક ખોરાક અને નેચરલ પર્સનલ કેર પ્રોડક્ટ્સની પસંદગી એ મુખ્ય ધ્યાનમાં લેવા જેવી બાબત છે. તમારા ઘરમાં યોગ્ય વેન્ટિલેશન સુનિશ્ચિત કરવાથી સફાઈ એજન્ટો, મકાન સામગ્રી અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી અંદરના હવાના પ્રદૂષકોને ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. વધુમાં, પ્રોસેસ્ડ ફૂડ્સના વપરાશને મર્યાદિત કરવાનું સૂચન કરવામાં આવે છે, કારણ કે તેમાં આ રસાયણો ઉમેરેલા હોઈ શકે છે અથવા તે એ પ્રકારના પેકેટમાં તેને પેક કરવામાં આવ્યા હોય જેમાં આ હાનીકારક રસાયણો સામે હોય.
સાર
પર્યાવરણના તમામ ઝેરી તત્વોના સંપર્કને દૂર કરવું લગભગ અશક્ય છે. તેથી જ સંભવિત જોખમોનું ધ્યાન રાખવું અને માહિતગાર પસંદગીઓ કરવાથી સ્તન કેન્સર થવાની શક્યતા ઘટાડવામાં મદદ મળી શકે છે. હાનિકારક ઝેર વિશે જાગૃક્તા અને પહેલ સંબંધિત પગલાં લેવાથી લાંબા ગાળાના સ્વાસ્થ્ય અને આરોગ્ય જાળવણીમાં મદદ મળી શકે છે.
લેખક: ડો. વિવિધા દુબે, કન્સલટન્ટ રેડિએશન ઓન્કોલોજિસ્ટ, એચસીજી હોસ્પિટલ, ભાવનગર