Mumbai
ડેરીવેટીવ્સ પોર્ટફોલીયાએ ગેરરીતિના કારણે ખાનગી ક્ષેત્રની ઈન્ડસઈન્ડ બેન્કમાં શેરમાં કડાકા થયા છે અને જંગી થાપણો ધરાવતી આ બેન્ક અંગેના અહેવાલ પર રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ જાહેર કર્યુ છે કે બેન્ક સલામત અને સદ્ધર છે તથા થાપણો સહિતના નાણા અંગે ચિંતા કરવાની જરૂર નથી.
આરબીઆઈએ જણાવ્યું કે, ઈન્ડસઈન્ડ બેન્કનું આર્થિક સ્વાસ્થ્ય સારુ છે અને બેન્કએ હવે બહારનું એક વધારાનું ઓડીટ પણ શરૂ કરાયુ છે અને આરબીઆઈએ પણ જરૂરી આદેશ આપ્યા છે. જો કે બેન્કના નફા પર રૂા.1600થી રૂા.2000 કરોડની નુકશાની જશે. બેન્કમાં ગત ઓકટોબર માસથી આ ગેરરીતિના સંકેત હતા.